Abtak Media Google News

૧૦૦ કરોડ ઉપરની ડિપોઝીટવાળી બેંકોએ સીઈઓ માટેનું અપ્રુવલ બોર્ડ ઓફ મેનેજમેન્ટ સમક્ષ મુકવાનું રહેશે

રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનું અર્બન કો-ઓપરેટીવ બેંકો ઉપર કંટ્રોલ રાખી શકાય તે હેતુસર રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કો-ઓપરેટીવ બેંકો માટે સીઈઓની નિયુકિત માટે મંજુરી લેવી પડશે. નિયમો અનુસાર જે કોઈ કો-ઓપરેટીવ બેંકોનું ડિપોઝીટ ૧૦૦ કરોડથી ઉપરનું હોય તો

તેઓએ ચીફ એક્ઝિકયુટીવની નિયુકિત કરવા પહેલા રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મંજુરી મેળવી અનિવાર્ય બની રહેશે. કો-ઓપરેટીવ બેંકોની સુપરવિઝન પ્રેકટીસીસમાં ઘણાખરા વિવાદો સામે આવતા અને લોન આપવાના મુદ્દે જે નિયમોમાં બાંધછોડ કરવામાં આવતી હોવાનું સામે આવતાની સાથે જ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કો-ઓપરેટીવ બેંકો ઉપર સકંજો કસવા માટે નવા નિયમો બહાર પાડયા છે.

આરબીઆઈની રડારમાં આવતની સાથે જ કો-ઓપરેટીવ બેંકો આરબીઆઈના રેગ્યુલેટરી પોલીસી હેઠળ આવી જશે અને જે કોઈ ગેરરીતી થવાની શંકા કો-ઓપરેટીવ એટલે કે સહકારી બેંકોમાં જોવા મળી રહી હતી તે હવે મહદઅંશે ઓછી થઈ જશે.

7537D2F3

આરબીઆઈના નવા નિયમો અનુસાર આ અંગેના સુઝાવો બોર્ડ ઓફ ડાયરેકટરના બદલે બોર્ડ ઓફ મેનેજમેન્ટ સમક્ષ મુકવામાં આવશે ત્યારે આ નવા નિયમો સેલેરી અર્નર બેંકો માટે નહીં હોય. આરબીઆઈના જણાવ્યા મુજબ જે કોઈ સહકારી બેંકોની ડિપોઝીટ ૧૦૦ કરોડથી વધુની હશે તેઓએ બોર્ડ ઓફ મેનેજમેન્ટ સમક્ષ આ અંગેની માન્યતા પ્રાપ્ત કરવાની

રહેશે. જેથી નિયમો અંગે બોર્ડ ઓફ મેનેજમેન્ટ આ મુદ્દાને બોર્ડ ઓફ ડાયરેકટર સમક્ષ મુકશે અને સહકારી બેંકોની કાર્યપ્રણાલી ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરશે ત્યારે હવે સહકારી બેંકો પણ આરબીઆઈના નેજા હેઠળ આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.