Abtak Media Google News

મોરારિબાપુ પર હુમલાનાં પ્રયાસને CM રૂપાણી ટ્વિટ કરી વખોડી છે,  મોરારીબાપુએ ભગવાન દ્વારકાધીશના દર્શને આવીને દ્વારકાધીશ અને સમગ્ર આહીર સમાજની માફી માંગી લીધી છે ત્યારે તેમના ઉપર એ જ વાતને લઈને કરાયેલો હુમલાનો પ્રયાસ નિંદનીય અને અશોભનીય છે।.

Screenshot 1 26

દ્વારકાધીશનાં દર્શને પધારેલાં મોરારિબાપુ પર પબુભા માણેક દ્વારા થયેલા હુમલાના પ્રયાસને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યો છે. તેમણે ટ્વિટ કરી ને આ ઘટના સંદર્ભે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. પોતાની ટ્વિટમાં તેમણે જણાવ્યું હતું કે, “ભારતના પ્રખર અને ગણમાન્ય સંત પૂજ્ય મોરારીબાપુ સાથે દ્વારકામાં થયેલી ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડું છું. આજે મોરારીબાપુએ ભગવાન દ્વારકાધીશના દર્શને આવીને દ્વારકાધીશ અને સમગ્ર આહીર સમાજની માફી માંગી લીધી છે ત્યારે તેમના ઉપર એ જ વાતને લઈને કરાયેલો હુમલાનો પ્રયાસ નિંદનીય અને અશોભનીય છે.”

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.