Abtak Media Google News

તાજેતરમાં રાજકોટ નાગરીક સહકારી બેંક લી. ના મેનેજર (ટ્રેનીંગ અને જૈન શ્રેષ્ઠી નિલેશભાઇ શાહના પિતાશ્રી જગુભાઇનું દુ:ખદ અવસાન થયું હતું. આ સમાચાર જાણી ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સત્વરે શોક ઠરાવ પાઠવેલ હતો. તેમજ અવસાનના થોડા દિવસમાં જ શાહ પરિવારને ઘેર રૂબરૂ જઇ સાંત્વના પાઠવી હતી.

વિજયભાઇએ વાતચીત દરમ્યાન કીરીટભાઇ (મનીકેર), નિલેશભાઇ (મેનેજર ટ્રેનીંગ, રાજકોટ નાગરીક સહકારી બેંક લિ. અને જૈન શ્રેષ્ઠી) , નીતીનભાઇ (અરવિંદભાઇ મણીયાર એન્ડ કું.) જયેશભાઇ (રિલાયન્સ) ને સાંત્વના પાઠવતાં પરિવારનાં વડીલ જગુભાઇ સાથેની વર્ષો જુની અનેક યાદો વાગોળી હતી.

રાજકીય અને સમાજ જીવનમાં ઉતરોતર પ્રગતિ કરવા છતાં વિજયભાઇ રૂપાણી પોતાનો આ સંબંધ ભૂલ્યા નથી. કોઇ પણ પદ પર હોય એમના આવા સંબંધ સતત જીવંત રહ્યા છે.

આ તકે વિજયભાઇએ જગુભાઇની ધર્મ નિષ્ઠા, આરાધના પ્રત્યેનું સમર્પણ વૈયાવચ્ચનો ભાવ સહુ માટે પ્રેરણદાયી બની રહે છે તે મુજબની વાત કરી હતી. વિજયભાઇ રૂપાણીની સાથે અંજલીબેન રૂપાણી, નીતીનભાઇ ભારદ્વાજ, બીનાબેન આચાર્ય (મેયર) ભાનુબેન બાબરીયા (પૂર્વ ધારાસભ્ય) રાજુભાઇ ધ્રુવ, રમ્યા મોહન (કલેકટર) ઉદિત અગ્રવાલ (કમિશ્નર) મનોજભાઇ અગ્રવાલ (પોલીસ કમિશ્નર) મનહરભાઇ  કોઠારી વગેરે ઉ૫સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.