Abtak Media Google News

હરીભાઇ ઠુંમર અને વલ્લભભાઇ સખીયાએ મુખ્યમંત્રીના નિર્ણયને આવકાયો

મુખ્યમંત્રીએ ખેડુતો માટે મગફળીના ટેકાના ભાવ જાહેર કરતાં ઉપલેટાના સહકારી આગેવાનોના આ નિર્ણયને આવકારતા મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા.

મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીએ ખેડુતોના ખરીફ પાક મગફળીના ટેકાના ભાવ જાહેર કરીને અભૂતપૂર્વ નિર્ણય લીધેલ  તે બદલ રાજકોટ આર.ડી.સી. બેંકના ડિરેકટર અને ઉપલેટા સહકારી મંડળી ના પ્રમુખ હરીભાઇ ઠુમર તથા ઉપલેટા તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ વલ્લભભાઇ સખીયા અન નિર્ણયને આવકારી મુખ્યમંત્રીને અભિનંદન પાઠવેલ હતા. વધુમાં ઠુંમર અને સખીયાએ જણાવેલ કે ગુજરાત સરકાર દ્વારા મગફળીનો ટેકાના ભાવ જાહેરાત થતા ખેડુતોને ઘણો ફાયદો થશે અને સાંસદ વિઠલભાઇ રાદડીયાના પ્રયાસોથી ઉપલેટા વિસ્તારમાં મગફળી ખરીદ કેન્દ્ર લાભ પાંચમ બાદ ખોલી ખેડુતોની મગફળીની ખરીદ કરવામાં આવશે તેનો સીધો ફાયદો ખેડુતોને મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.