Abtak Media Google News

સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના બે રાજ્યસભા સાંસદો પ્રતાપસિંહ બાજવા અને એમી હર્ષદ રાય યાજનિકની અરજીને ફગાવી છે. બંને સાંસદોએ તેમની અરજીમાં ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડૂના સીજેઆઇ દીપક મિશ્રા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવની નોટિસ રદ કરવાના આદેશને પડકાર્યો હતો.

ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ મોડી સાંજે બેંચ અને તેના પાંચ જજોની પસંદગી કરી લીધી છે. આ બેંચમાં તે ચાર સિનિયર જજ સામેલ નથી, જેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને ચીફ જસ્ટિસ પર અધિકારોના દુરુપયોગનો આરોપ લગાવ્યો હતો.

બંધારણીય બેંચમાં એકે સીકરી, જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ એમવી રમના, જસ્ટિસ અરૂણ મિશ્રા અને જસ્ટિસ આદર્શકુમાર ગોયલ સામેલ છે.

પ્રતાપસિંહ બાજવા અને એમી હર્ષદ રાય યાજનિક રાજ્યસભાથી કોંગ્રેસ સાંસદ છે. તેમણે પોતાની અરજીમાં કોર્ટને કહ્યું છે કે ઉપરાષ્ટ્રપતિ નાયડુને મહાભિયોગ પ્રસ્તાવ પર કાર્યવાહી શરૂ કરવાનો આદેશ આપવામાં આવે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.