Abtak Media Google News

સાંજે ૭.૩૦ કલાકે મુખ્યમંત્રી  ગણપતીજીની આરતી ઉતારશે

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ આગામી સોમવારે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ શહેરમાં અલગ અલગ ગણેશ મહોત્સવમાં હાજરી આપશે અને દુંદાળાદેવની આરાધના કરશે.ચંપકનગર સાર્વજનીક ગણેશ મહોત્સવ સમિતિનાં પ્રમુખ અને કોર્પોરેશનની બાંધકામ સમિતિના ચેરમેન મૂકેશભાઈ રાદડીયાએ જણાવ્યું હતુ કે, આગામી સોમવારે મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી રાજકોટની મુલાકાત દરમિયાન ચંપકનગર ગણેશ મહોત્સવમાં હાજરી આપશે અને સાંજે ૭.૩૦ કલાકે તેઓના હસ્તે ગજાનન મહારાજની મહાઆરતી ઉતારશે ચંપકનગર ગણેશ મહોત્સવમાં દશનાર્થે પધારવા ભાવીકોને તેઓએ આમંત્રણ પાઠવ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.