Abtak Media Google News

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની મૂલાકાત લઇને તેમને ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરને કારણે સર્જાયેલી પરિસ્થિતિથી સંપૂર્ણ વાકેફ કર્યા હતા. વડાપ્રધાને ગુજરાતમાં આવી પડેલી આ કુદરતી આફતમાં કેન્દ્ર સરકારની જરૂરી તમામ મદદ-સહાયની ખાતરી મુખ્યમંત્રીને આપી હતી. વડાપ્રધાન આજે સાંજે ૪-૦૦ વાગે અતિવૃષ્ટિથી પ્રભાવિત બનાસકાંઠા જિલ્લાના હવાઇ નિરિક્ષણ માટે આવશે. મુખ્યમંત્રી  વિજય રૂપાણી પણ વડાપ્રધાનશ્રી સાથે આ નિરિક્ષણમાં જોડાવાના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.