Abtak Media Google News

યંગ એચીવર્સ એવોર્ડ અને મવડી ચોકડી ખાતે વીર દેવાયત બોદરની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં હાજરી આપશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલે માદરે વતન રાજકોટની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ રાજકોટમાં ચાર કલાકનું રોકાણ કરશે. આ દરમિયાન મુખ્યમંત્રી અલગ અલગ બે કાર્યક્રમોમાં હાજરી આપશે.

આવતીકાલે રવિવારના રોજ સાંજે ૫:૫૦ કલાકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું રાજકોટ એરપોર્ટ ખાતે આગમન થશે. જયાંથી તેઓ સીધા સર્કિટ હાઉસ જશે. રવિવારે સાંજે ૬:૩૦ કલાકે કાલાવાડ રોડ સ્થિતઔરા પાર્ટી લોન ખાતે યોજાનારા યંગ એચીવર્સ એવોર્ડ કાર્યક્રમમાં ઉપસ્તિ રહેશે.

ત્યારબાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર મવડી ચોકડી ખાતે રાત્રે ૮:૩૦ કલાકે આહિર સમાજના આરાધ્ય એવા વીર દેવાયત બોદરની પ્રતિમાના અનાવરણનો કાર્યક્રમ રાખેલ છે. જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે વીર દેવાયત બોદરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. પ્રતિમાના અનાવરણ બાદ મુખ્યમંત્રી નાના મવા સર્કલ ખાતે એક જાહેર સભાને સંબોધશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.