Abtak Media Google News

સુપ્રસિઘ્ધ યાત્રાધામ દ્વારકાના જગતમંદીર ખાતે આજે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ભગવાન દ્વારકાધીશના ચરણમાં શીશ નમાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ દ્વારકાધીશની ચરણપાદુકાની પુજા અને રાજભોગના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગુજરાતમાં આગામી ચોમાસામાં વરુણદેવ મન મુકીને વરસે તેવી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના મુખ્યમંત્રીશ્રીએ કરી હતી. તેમજ મુખ્યમંત્રીરીએ મંદીરના પારસરમાં ઉ૫સ્થિત દશનાર્થીઓનું પણ અભિવાદન ઝીલ્યું હતું.

Hon Cm At Jagat Mandir Dwarka Round 2 24 5 18 4આ પ્રસંગે રાજયમંત્રી અને દેવભૂમિ દ્વારકાના પ્રભારી મંત્રી શ્રી વાસણભાઇ આહીર, ગ્રામ ગૃહ વિભાગ બોર્ડના ચેરમેન મુળુભાઇ બેરા, સાંસદ પુનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક, તાલુકા પંચાયત પ્રમુખ હમતભાઇ સુમણીયા, નગરપાલિકા પ્રમુખ જીતુભાઇ માણેક, અગ્રણી સર્વ કાળુભાઇ ચાવડા, નીલોબન ઉપાઘ્યાય,, મનીષાબેન ત્રિવેદી, નયનાબા રાણા, નગરપાલિકા સદસ્ય નીતાબેન ઠાકર, જીલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, કલેકટરશ્રી જે.આર. ડોડીયા, જીલ્લા પોલીસ વડાશ્રી રોહન આનંદ જીલ્લા વિકાસ અધિકારી આર.આર. રાવલ, મંદીરના ઉપાઘ્યક્ષ ધનરાજ નથવાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.