Abtak Media Google News

વિજયભાઈ રૂપાણીએ આદ્યશક્તિ અંબાજી માતાજીના દર્શન-પૂજન અંબાજી યાત્રાધામમાં કર્યા હતા. રાજયના સૌ નાગરિકોની સુખાકારી, શાંતિ, સલામતિ અને રાજયના ઉત્તરોત્તર વિકાસમાં દૈવીશક્તિના કૃપા આશિષ સદાય વરસતા રહે તેવી પ્રાર્થના માતાજીના શ્રી ચરણોમાં કરી હતી.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે વહેલી સવારે આદ્ય શકિતમાં અંબાજીના પૂજન અર્ચન કરીને તેમના દિવસનો પ્રારંભ કર્યો હતો.

મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણ દરમ્યાન 3 મહિના લોકડાઉનની સ્થિતિ બાદ ગઈ કાલે ભગવાન જગન્નાથ ના દર્શન અને રથયાત્રામાં વિધિ કર્યા બાદ મોડી સાંજે અંબાજી પહોંચી ને આજે સવારે જગદંબા માતાજીની મંગલા આરતી કરી પૂજન કર્યું હતું.

મુખ્યમંત્રીએ લોકડાઉનની સ્થિતિ બાદ પ્રથમ વાર અમદાવાદ ગાંધીનગર બહારના તેમના પ્રવાસની શરૂઆતમાં આદ્યશકિત જગત જનનીના દર્શન અર્ચનથી કરી છે.

તેમણે આદ્યશકિત માં અંબાજી સમગ્ર માનવ જાત ને કોરોના ના આ સંકટ માંથી સલામત પાર ઉતારે તેવી મનોકનાઓ વ્યક્ત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.