Abtak Media Google News

મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આદિવાસી સમાજ ગુજરાતની વિરાસત છે. આ વૈવિધ્‍યસભર સંસ્‍કૃતિના સંવર્ધન અને જતન માટે રાજય સરકારે મહત્‍વનો નિર્ણય કરી ભાગીદાર બની હોવાનું ગૌરવપુર્વક જણાવ્‍યું હતું.

1  તાપી જિલ્લાના નિઝર ખાતે વિશ્વ આદિવાસી દિવસ ઊજવણી અવસરે મુખ્‍યમંત્રીશ્રી ભાગીદાર બન્‍યા હતા. આદિવાસી સમાજની વિશાળ ઉપસ્‍થિતિમાં મુખ્‍યમંત્રીશ્રીએ આદિવાસી કૂળદેવી યાહા મોગી માતાનું પૂજન કરી, આદિવાસી સમાજના મસિહા બિરસા મુંડાને શ્રધ્‍ધાંજલિ અર્પી હતી.

2   વિશ્વ આદિવાસી દિવસ ઊજવણી અવસરે મુખ્‍યમંત્રીશ્રીના હસ્‍તે રૂા.૪૬ લાખના વિવિધ લાભોનું વિતરણ સાથે રમતગમત,શિક્ષણ, વિદ્યાર્થીઓ, પશુપાલક સહિત વિવિધ પ્રતિભાશાળીઓનુ઼ મુખ્‍યમંત્રીશ્રીના હસ્‍તે સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

3 ગુજરાતની ગૌરવવંતી આદિવાસી સંસ્‍કૃતિની પરંપરાને જીવંત રાખવા રાજય સરકાર કટિબદ્વ છે. આદિવાસીઓનો ભવ્‍ય અને ગૌરવવંતો ઇતિહાસ છે. ગુજરાતમાં આદિવાસીઓ પ્રત્‍યે સંવેદના છે. તેમનામાં આઝાદી પહેલાંથી જ રાષ્‍ટ્રભકિત પડેલી છે. અંગ્રેજો અને મોગલો સામે આઝાદી માટે શહીદી વ્‍હોરી છે. એવા આદિવાસી સમાજના સમરસ વિકાસ માટે રાજય સરકાર સંકલ્‍પબદ્વ હોવાનું મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું.

8 વિશ્વ આદિવાસી દિવસ ઊજવણી અવસરે મુખ્‍યમંત્રીશ્રીનું પરંપરાગત વિવિધ આદિવાસી નૃત્‍યો, સુરસંગીતના તાલે ખુલ્લી જીપમાં ભવ્‍ય અભિવાદન કરવામાં આવ્‍યું હતુ઼ં.

મુખ્‍યમંત્રીશ્રીએ આદિવાસી સમાજના મહિસા બિરસા મુંડા યાદ કર્યા હતા. આદિવાસીઓના આઝાદીના ભવ્‍ય ઇતિહાસને વાગોળ્‍તા જણાવ્‍યું હતું કે, સોમનાથ મંદિરની રક્ષા માટે વેગડા ભીલની વીરતા, મહિસાગરના માનગઢમાં ગુરૂ ગોવિંદના નેતૃત્‍વમાં ૧૬૦૦ આદિવાસીઓની શહીદી, વિજયનગરના શહીદો, તાત્‍યાભીલ, રૂપા નાયક સહિત આદિવાસીવીરોની બલિદાન એળે જવા દેશે નહીં. ડાંગના રાજાઓ અંગ્રેજો સામેલ લડયા હતા. ઇતિહાસના પાનામાં અનેક આદિવાસી ક્રાંતિવીરોએ કૂરબાની આપી છે. અગાઉની સરકારોએ કયારેય આ વીર સપૂતોને યાદ કર્યા નથી. આ સરકારે અનોખી પરંપરાનો પ્રારંભ કરીને આદિવાસી સંસ્‍કૃતિની વિરાસતને ઊજાગર કરવાનો મહત્‍વનો નિર્ણય કર્યો છે.

આદિવાસી સંસ્‍કૃતિની વિરાસતના જતન માટે રાજપીપળા ખાતે રૂા.૧૦૦ કરોડના ખર્ચે અલગ મ્‍યુઝિયમ બનાવવાના નિર્ણય સાથે ૪૦ એકર વિસ્‍તારમાં બિરસા મૂંડા આદિવાસી યુનિવસિર્ટીના નિર્માણ સાથે આદિવાસી સંસ્‍કૃતિનું જનત થશે એમ મુખ્‍યમંત્રીએ વિશવાસપૂર્વક જણાવ્‍યું હતું.

5 રાજયના આદિવાસી વિસ્‍તારોમાં વિકાસની પરંપરાને આગળ વધારી છે. ૧૯૬ જંગલના ગામોને રેવન્‍યુ ગામો જાહેર કર્યા છે. ગુજરાતનો આદિવાસી વૈશ્વિક પડકારો ઝીલીને વૈશ્વિક ફલક પર અગ્રેસર બની, રાજય-રાષ્‍ટ્રમાં ભાગીદાર બને તેવી તેમ મુખ્‍યમંત્રીશ્રીએ વ્‍યકત કરી હતી.

આદિવાસી ક્ષેત્રમાં થયેલા વિકાસનો ચિતાર આપતાં મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, શિક્ષણ, આરોગ્‍ય સહિત માળખાકીય સવલતો છેવાડાના માનવીને આપી છે. ૨૦૦૨ માં સાત એકલવ્‍ય મોડેલ સ્‍કુલ હતી, જે આજે ૯૧ છે. ૨૦૦૧ ના વર્ષમાં આદિવાસી ક્ષેત્રમાં ૪૭ ટકા શિક્ષણ હતું, જે વધીને ૨૦૧૧ માં ૬૨ ટકા થયું છે. આ સરકાર ગરીબો, પીડિતો, આદિવાસીઓના હિતની સંવેદનશીલ સરકાર છે.

આદિજાતિ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્‍યું હતું કે, ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર અંબાજી થી ઊમરગામ પૂર્વપટ્ટીમાં ૯૦ લાખ આદિવાસીઓના ઉત્‍સવમાં મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ભાગીદાર બન્‍યા છે. ગુજરાતમાં આદિવાસી પ્રત્‍યેની સંવેદના છે. હજ્‍જારો વર્ષથી પ્રકૃતિના પૂજકોની સંસ્‍કૃતિ, ઉત્‍સવ, જીવનશૈલીની અલગ છે. જેને ઊજાગર કરવાનો અવસર રાજય સરકારે પૂરો પાડયો છે. આદિવાસીઓએ દેશની રક્ષા માટે અંગ્રેજો અને મુગલો સામે શહીદી વ્‍હોરી છે. દેવમોગરા પરિસરનો રૂા.૧પ કરોડના ખર્ચે  વિકાસ આ સરકારે કર્યો છે.

7  પેસા એકટનો ઉલ્લેખ કરીને આદિજાતિ મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, ગૌણવન પેદાશના રૂા.૪૦ કરોડ આદિવાસીઓને આપશે. વન અધિકાર હેઠળ ૯૦ હજાર થી વધુ આદિવાસીઓને ૧૩ લાખ એકર જમીન આપી છે. આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો મેળવનારા સામે કડકમાં કડક કાયદો દેશભરમાં પ્રથમ ગુજરાતે બનાવ્‍યો છે. જેમાં ત્રણ વર્ષની સજાની જોગવાઇ છે. આદિવાસીઓના બંધારણીય અધિકારોનું રક્ષણ આ રાજય સરકાર કરી રહી છે.

સાંસદ શ્રી પરભુભાઇ વસાવાએ વિશ્વ આદિવાસી દિવસ અવસરે શુભકામના પાઠવી આદિવાસીઓના ગૌરવવંતા ઇતિહાસનો ચિતાર રજૂ કરી, આદિવાસી ક્ષેત્રનો વિકાસ અને કેન્‍દ્ર સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી. અગ્રણી ભરતસિંહ પરમારે પણ પ્રાસંગિક પ્રવચન કરી, યોજનાકીય જાણકારી આપી હતી.

વિશ્વ આદિવાસી દિવસ ઊજવણી અવસરે માજી સાંસદ બાલકૃષ્‍ણ શુકલા, માજી મંત્રી કાંતિભાઇ ગામીત, માજી ધારાસભ્‍ય પરેશભાઇ વસાવા, માજી સંસદીય સચિવ શુભાષ પાડવી, સુમુલ ડેરીના વાઇસ ચેરેમેન રિતેશ વસાવા, સેનેટ મેમ્‍બર જયરામભાઇ ગામીત, કલેકટર એન.કે.ડામોર, જિલ્લા વિકાસ અધિકારી જે.બી.પટેલ, જિલ્લા પોલીસ વડા એન.એન.ચૌધરી, નાયબ વન સંરક્ષક આનંદ કુમાર, પ્રાયોજના વહીવટદાર વિજય પટેલ સહિત આદિવાસી આગેવાનો, વિશાળ સંખ્‍યામાં આદિવાસી સમુદાય સહિત અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્‍થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.