Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન અને વોર્ડ નં.૨ના કોર્પોરેટર મનીષભાઈ રાડીયા અને મયુરભાઈ રાડીયાના માતુશ્રી કુમુદબહેન રાડીયા અવસાન થતાં રાજકોટના પ્રવાસે આવેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પોતાના અતિ વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે પણ સમય ફાળવીને રાડીયા પરિવાર ઉપર આવી પડેલ દુ:ખદ પ્રસંગમાં સહભાગી થવા અને દિલસોજી; સાંત્વના પાઠવવા નિવાસ સ્થાને ગયા હતા.

વિજયભાઈ રૂપાણી સાથે શ્રીમતી અંજલીબેન રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, મેયર શ્રીમતી બિનાબેન આચાર્ય, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, કોર્પોરેટર કશ્યપભાઈ શુકલ, શ્રીમતી વંદનાબેન ભારદ્વાજ, વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર જયમીનભાઈ ઠાકર, ડો.દર્શિતાબેન શાહ, સોફિયાબેન દલ, વોર્ડ નં.૦૮ના કોર્પોરેટર જાગૃતિબેન ધડિયા, વિજયાબેન વાછાણી, વોર્ડ નં.૨ના પ્રભારી નરેન્દ્રસિંહ ઠાકુર, પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, મહામંત્રી જયસુખભાઈ પરમાર, ધેર્યભાઈ પારેખ, વોર્ડ નં.૦૮ પ્રભારી નીતિનભાઈ ભૂત, વોર્ડ નં.૦૮ પ્રમુખ વી.એમ.પટેલ, વોર્ડ નં.૦૮ મહામંત્રી કાથડભાઈ ડાંગર, રમેશભાઈ ચાવડીયા, ઉપસ્થિત રહી રાડીયા પરિવારને દિલસોજી સાંત્વના; હૂંફ; હિંમત પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.