Abtak Media Google News

ગીર-સોમનાથ તા. -૨૨, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ગીર-સોમનાથ જિલ્લાનાં પ્રવાસે આવનાર છે. તેઓશ્રી તા. ૨૩ નાં રોજ ૧૧:૨૫ કલાકે ત્રિવેણી હેલીપેડ ખાતે આગમન બાદ વી.આઇ.પી. ગેસ્ટહાઉસ, સોમનાથ ખાતે આવી પહોંચશે. મુખ્યમંત્રીશ્રી ૧૧:૩૫ કલાકે સોમનાથ મંદીરમાં ગંગાજળ અભિષેક, પુજા-દર્શન અને ધ્વજારોહણ બાદ સોમનાથ મંદીરનાં પરીસરમાં યજ્ઞમંડપમાં આયોજીત મહામૃત્યુંજય યજ્ઞમાં યજ્ઞ આહુતી આપશે. ત્યારબાદ સોમનાથ ચોપાટી ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્રીતીય દ્રાદશ જ્યોતિલીંગ સમારોહનું દિપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરશે અને અહિં આયોજીત સભાને સંબોધશે.  

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.