Abtak Media Google News

રેલવે ઓવરબ્રિજ, નવા બનાવાયેલા આવાસો તા પંડિત દિનદયાલ ઉપાધ્યાય ટાઉન હોલનો લોકાર્પણ સમારોહ યોજાયો: આઈ.કે.જાડેજા,સાંસદ ડો.મહેન્દ્રભાઈ મુંજપરા, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, પરસોતમ સાબરીયા સહિતના અગ્રણીઓની ઉપસ્થિત

ગુજરાત રાજ્યના  શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ  વિભાગ હેઠળ સુરેન્દ્રનગર-દુધરેજ નગરપાલિકા દ્વારા વિવિધ યોજના અંતર્ગત અંદાજે રૂપિયા ૭૮.૪૮ કરોડના ખર્ચે નિર્માણ પામેલ રેલવે ઓવરબ્રિજ, આરએવાય આવાસ યોજના અંતર્ગત બનાવવામાં આવેલ આવાસો તથા પંડિત દિન દયાલ ઉપાધ્યાય ટાઉન હોલનો લોકાર્પણ સમારોહ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે સવારે ૧૦:૦૦ કલાકે સુરેન્દ્રનગર સ્થિત પંડિત દિન દયાલ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે યોજવા માં આવીયો હતો.

આ સમારોહ પ્રસંગે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, સ્વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષ આઈ. કે. જાડેજા, સાંસદ ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, પરસોત્તમભાઈ સાબરીયા, ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમના ચેરમેન શંકરભાઈ દલવાડી અને ડો.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના ચેરમેન ગૌતમભાઈ ગેડિયા ઉપસ્થિત રહા હતા.

Img 20191018 Wa0007

આ તકે સુરેન્દ્રનગર-દુધરેજ નગરપાલિકા દ્વારા સુરેન્દ્રનગર શહેરમાં રૂપિયા ૪૩.૪૮ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ ઓવરબ્રિજ, રૂપિયા ૨૭.૪૫ કરોડના ખર્ચે આરએવાય આવાસ યોજના અંતર્ગત નવા બનાવાયેલ આવાસો તેમજ રૂપિયા ૭.૧૫ કરોડના ખર્ચે નવનિર્મિત પંડીત દિન દયાલ ઉપાધ્યાય ટાઉન હોલને મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પિત કરવા માં આવીયો હતો.

આજે સવારે ગુજરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા નવનિમિત ઓવારબીજ અને ૯૯૯ શીટનો હોલનું લોકાર્પણ કરવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લાની પ્રજામાં આનદની લાગણી વ્યાપી હતી. આગામી સમયમાં લોકોને વધુને વધુ સુવિધાઓ મળે તે માટે જિલ્લા નગરપાલીકા અને વહીવટી તંત્ર સતત સક્રિય બન્યું છે.

ત્યારે આ પ્રસંગે વીપીનભાઈ ટોળીયા નગરપાલીકાના પ્રમુખનો જિલ્લામાં વિકાસના કામોમાં સારો એવો ફાળો હોવાનું શહેરીજનો દ્વારા જણાવવામાં આવીયું હતું. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વિકાસના આગામી સમયમાં નવા કામો ચાલુ રહેશે તેવુ પણ વીપીનભાઈ ટોળીયા નગરપાલીકા પ્રમુખ દ્વારા જણાવવામાં આવીયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.