રેલવે ટૂંક સમયમાં આધાર નંબર આધારીત ઓનલાઈન ટિકિટ સિસ્ટમ અમલી બનાવશે. એક જ વ્યક્તિ દ્વારા સંખ્યાબંધ ટિકિટ બુક કરાવવાની પ્રવૃત્તિ બંધ થાય અને ગરબડ ન થઈ શકે અને કોઈના બદલે કોઈ મુસાફરી ન કરી શકે તે માટે આધાર નંબર ફરજિયાત બનાવાશે. તેના વગર ઓનલાઈન બુકિંગ નહીં થઈ શકે. રેલવેએ સિનિયર સિટિઝનને ક્ધસેશન મેળવવા માટે આધાર નંબર ૧ એપ્રિલથી ફરજિયાત કરી દીધો છે. આ માટે ત્રણ મહિનાનું ટ્રાયલ રન હાલ ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં તમામ મુસાફરો માટે આધાર નંબર ફરજિયાત બનાવી દેવાશે. રેલવે મંત્રી સુરેશ પ્રભુએ ગુરુવારે વર્ષ ૨૦૧૭-૧૮ માટે નવો બિઝનેસ પ્લાન રજૂ કર્યો હતો.
Trending
- જામનગરમાં તસ્કરોનો આતંક
- ડેમેજ કંટ્રોલ – મનામણાનો વિષય પુરો: નુકશાની સરભર કરવાની ભાજપની કવાયત
- ચૂંટણી પ્રચાર માટે રોકડા 10 દિવસ હાથમાં: માહોલ જામતો નથી !
- આજીડેમમાં યુગલ ડૂબ્યું : મહિલાનું રેસ્ક્યુ પણ પુરુષ હજુ લાપતા
- ભાવનગર-દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ
- રાજકોટ રેન્જનો સપાટો : પાંચ રાજ્યમાંથી નાસ્તા ફરતા 47 ગુનેગારોને ઉપાડી લેવાયા
- એક વર્ષમાં 81.50 લાખ શ્રદ્વાળુઓએ દ્વારકાધીશના દર્શન કર્યા
- BSF, CRPF, CISF, ITBP, SSB માં આસિસ્ટન્ટ કમાન્ડન્ટની ભરતી માટે આ રીતે કરો અરજી