Abtak Media Google News

૧૫૦૦ થી ૨૦૦૦ ખેલૈયાઓ બોલાવશે રાસની રમઝટ: આયોજકો અબતકની મુલાકાતે

ધ હેવન વોટર રિસોર્ટ એન્ડ રેસ્ટોરન્ટ દ્વારા બાય બાય નવરાત્રી ૨૦૧૯નું અદભુત આયોજન કરેલ છે. બાય બાય નવરાત્રીમાં મુખ્ય મહેમાન તરીકે રાજદિપસિંહ અનિરુઘ્ધસિંહ જાડેજા રીબડા ખાસ હાજરી આપવાના છે. આયોજનને સફળ બનાવવા માટે કેતન રૈયાણી, કલ્પેશ ગજેરા, રસિક રૈયાણી, પ્રતિક ડોબરીયા, ભાવિન ગજેરા, અશ્ર્વિન ઠુંમર, આશિષ ડાભી અને હેવન ગ્રુપની કમિટી દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

સૌરાષ્ટ્રની જનતાને પરિવાર સાથે પધારવા કેતનભાઈ રૈયાણી દ્વારા અનુરોધ કરાયો છે.

ધ હેવન વોટર રિસોર્ટ એન્ડ રેસ્ટોરન્ટ દ્વારા આજે સાંજે ૭:૦૦ કલાકે બાય બાય નવરાત્રીનું ભવ્ય આયોજન રિસોર્ટ ખાતે જ કરવામાં આવ્યું છે. નવરાત્રી મહોત્સવમાં ૧૫૦૦થી ૨૦૦૦ ખેલૈયાઓ પરિવારજનો સાથે ગરબા રમવા પધારશે. અનેક જાણીતા કલાકારો તથા પ્રસિઘ્ધ ગાયકો ગરબાની રમઝટ બોલાવી ખેલૈયાઓને મોજ કરાવશે. નવરાત્રી આયોજનમાં રમવાનું સાથે જમવાનું પણ આયોજન છે. નવરાત્રી મહોત્સવમાં મુખ્ય મહેમાનપદે રાજદિપસિંહ અનિરુઘ્ધસિંહ જાડેજા-રીબડા, ગણેશસિંહ જયરાજસિંહ જાડેજા, પ્રવિણભાઈ રૈયાણી, સુરેશભાઈ રૈયાણી, મહેશભાઈ રૈયાણી, અશોકભાઈ પીપળીયા ખાસ હાજરી આપશે.

આ આયોજનમાં ગોંડલ રોટરી કલબનો પણ સહયોગ પ્રાપ્ત થયો છે. કાર્યક્રમને સફળ બનાવવા બ્રિજેશભાઈ પંડયા, આશિષભાઈ ડાભી, કેતનભાઈ રૈયાણી, મહેશભાઈ રૈયાણીએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.