Abtak Media Google News

લેણુ વસુલવા મિશન ૧૯૯૯ યોજના અંતર્ગત યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવશે: આગામી ૨૨ નવેમ્બરે જપ્ત કરેલા ૮૨ ડિફોલ્ટરની પ્રોપર્ટી ઓકશનમાં મુકાશે

દેશની નેશનલબેન્કો વેપારઉધોગએ કરેલા ધિરાણ સામે ઝઝુમી રહી છે ત્યારે એનપીએ વસુલાત માટે દેનાબેંકે ત્યારથી બતાવી દીધી છે અને પુરઝડપે એનપીએ રિકવર કરે તેવું લાગી રહ્યું છે આ સંદર્ભે ગુરુવારે દેનાબેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો.રાજેશ યદુવંશી અને ઝોનલ મેનેજર ગુરમીતસિંહે પત્રકાર પરિષદ સંબોધી હતી.

મિશન દેના ૧૯૯૯ લોન્ચ કરતા દેનાબેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો.રાજેશ યદુવંશીએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, દેનાબેંકનું કુલ એનપીએ ૧૬ હજાર કરોડનું છે જેમાં ૧૨ હજાર કરોડનું એનપીએ કોર્પોરેટ સેક્ટરનું છે જ્યારે બાકી રહેતા ૪ હજાર કરોડનું એનપીએ નોન કોર્પોરેટ સેક્ટરનું છે. આગામી માર્ચ ૨૦૧૯ પેહલા દેનાબેંકનું એનપીએ ઘટાડવા યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવશે. જેને વસૂલવા માટે મિશન ૧૯૯૯ યોજના અંતર્ગત યુદ્ધના ધોરણે કામગિરી કરવામાં આવશે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના સાત જિલ્લાઓના ૯૨ શાખા દ્વારા કરવામાં આવેલા કુલ ધીરાણમાંથી હાલમાં ૫૮૧ કરોડનું લેણું થાય છે જેને વસૂલવા માટે સરફેસી એકટ, એનસીએલટી, ઑટીએસ દેવદારોનો વિકલ્પ અપાશે. મેગા ઈ-ઓકશન દ્વારા પણ જપ્ત કરાયેલી પ્રોપટીનો નાશ કરી નાણાં વસુલ કરવામાં આવશે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, બેંક ઓફ બરોડા, વિજયા બેંક અને દેનાબેંકનું જોડાણ નાર છે અને આ ત્રણેય બેંક ૧ એપ્રિલ ૨૦૧૯માં નાના સ્વરૂપ માં નવા નામ સો પોતાની સેવા શરૂ કરશે. અને હાલ તો એનપીએ ઘટાડવા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવશે સાોસા નવા કર્મચારીઓ તેમજ ગ્રાહકો સો કોઈ અન્યાય ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવશે.

મુંબઈથી આવેલ ડો.આર.કે. યદુવંશીએ જણાવ્યું કે આજે પ્રેસ કોન્ફરન્સ કરી છે તેમાં આપને જણાવવાનું કે આવનારા સમયમાં અમારી બેંક બેંક ઓફ બરોડા, અને વિજયા બેંક સાથે મળીને એક અલગ બેંક બનાવીશું તેનું ડિસીશન લેવાશે કે તેનું શું નામ હશે કેવો લોગો હશે તે હજી પ્રોસેસમાં છે.

આ બધી પ્રક્રિયા થશે તે પહેલા અમારી દેના બેંકમાં ૧૬ હજાર કરોડ જે એનપીએ છે તેના પર અમે એક વોર ડિફલેર કર્યું છે. વોર ઓન એનપીએ અમે તેનું નામ આપ્યું છે. મિશન દેના ૯૯૯૯ ૧૬ હજાર કરોડ એનપીએને ઓછુ કરીને માર્ચ ૨૦૧૯ સુધીમાં ૧૦ હજાર કરોડથી નીચે એનપીએ લઈ જવા માગીએ છીએ તેને લઈને જ હું રાજકોટ આવ્યો છું અને આજે અમે ઘણા બધા બોરોઅર્સને મળ્યા.

અમે અમારા ઝોન મેનેજરની ટીમ, તથા બ્રાંચ મેનેજર્સની ટીમ જયાં વધારે એનપીએ છે તેમની સાથે ડિશકશન કર્યું કસ્ટમર્સ સાથે ડિશકશન કર્યું છે. આમાં આપણે શું કરી શકીએ. સરફેશીમાં જાણીએ જ છીએ કે પ્રોપર્ટીને પ્રોઝીશનમાં લઈને ઓકશન કરી શકીએ છીએ તો ૨૨ નવેમ્બરના અમે ૮૨ પ્રોપર્ટીઝ ઓકશન લગાવી છે. જેનાથી વધુમાં વધુ ઓકશનમાં કરી અમે પૈસા ગવર્મેન્ટના અમારા જે પૈસા ફસાયા છે.

એનપીએમાં તે વસૂલ કરી શકીએ અમે અમારા ૯૨ બ્રાન્ચ મેનેજર સાથે પણ ચર્ચા કરીશું કે કઈ રીતે કરવાનું થશે તેમને ગાઈડ કરીશું આ મિશનમાં અચીવ કરવા માટે એનસીએલટી એક મોટો સહારો છે. તમે જાણો જ છો કે એનસીએલટીના મોટામોટા કેસ ચાલે છે. આવનારા સમયમા સેટલ થઈ રહ્યા છે. તો મોટા મોટા અકાઉન્ટને એનસીએલટીથ્રુ અમે સેટલ કરી રહ્યા છે. જેનાથી મોટી રિકવરી આવશે જેમકે આલોક ઈન્ડિસ્ટ્રીઝ, ભૂષણ પાવર તે બધા અકાઉન્ટની રિકવરી આવશે.

તે મોટા અકાઉન્ટસમાં આવશે. તથા નાના લેવલ પર અમે ૫ કરોડ સુધીની એક સ્કિમ બનાવી છે જે બોરોઅસ છે તેની સહુલિયત માટે જેનો બિઝનેશ ખરાબ થઈ ગયો. જેમના અકાઉન્ટ ખરાબ થઈ ગયા.

તેની ભૂલના હોય ઈન્ડિસ્ટ્રીઝનો જે હાલ થયો તે તમારી સામે છે તે બધાને ધ્યાને રાખી અમે સ્ક્રીમ બનાવી છે કે તે પણ તેના જીવનમાં આગળ વધે અહીંયા ન ફસાય રહે એનપીએના ચકકરમાં તેનું જીવન ખરાબ ન થાય. તેના માટે અમે દેનારીન મુકતી યોજના નામની સ્ક્રીમ બનાવી છે. જેમાં અલગ તમા‚ એનપીએ ૩૧-૩-૧૮ની પહેલાનું એનપીએ થયું છે ૫ કરોડ સુધીનું બેલેન્સ છે. તે કેટેગરીમાં હોય.

તે પછી ૧ વર્ષ પૂરાના હો તે પછી ૫ વષૅ કે ૧૦ વર્ષ જુનું હોય. તેવા લોકોને અમે એક મોકો આપ્યો છે. તેમાં અમે વેલ્યુ ઓફ સિકયોરીટી જેમાં એક મોકો આપ્યો છે તે અમારી બ્રાન્ચીસને સંપર્ક કરી શકે અને બ્રાન્ચ મેનેજર તેને સ્ક્રીમ પ્રમાણે બતાવી શકશે. હું એ જણાવવા માંગીશ કે કોઈની પાસે કાંઈ ડ્સ્પ્રિીશન નથી.

બ્રાંચ મેનેજર ના ઘટાડી શકે ના વધારી શકે એટલા માટે અમે તે મોકો છોડયો નથી. કે કોઈપણ લેવલે ખોટુ કામ થાય. કોઈને સમસ્યા થાય અને જો કોઈને સમસ્યા થાય અને તે સેટલ કરવા માંગતા હોય તો ઝોનલ ઓફીસનો સંપર્ક કરી શકે અમારી વેબસાઈટ દેનાબેંકની તેની કમ્પલેઈન આપી શકે. અને તેના દ્વારા કેર કરી શકીએ કે કોઈને સમસ્યા ન આવે.

જે મીશન દેના ૯૯૯૯ અને મા‚ અહિંયા આવવાનો પપર્સ જ એ છેકે અને આજ વિષય પર પ્રેસ કોન્ફરર્ન્સ રાખી છે. ન્યુઝમાં આવી જ રહ્યું છે કે અમલગમેશન થવાનું જ છે તો મે તમારી સાથે શેર કર્યું કે તે પ્રોસેસ ચાલુ જ છે. એમપી, ઈડીસીની કમીટી બનાવી છે. તેની બે મીટીંગ થઈ ગઈ છે. ત્રીજી મીટીંગ ૩ તારીખના બેંગ્લોરમાં છે. હું પણ તેમાં ઈન્વોલવર્ડ છું તેમાં ડિફરન્ટ ડિપાર્ટમેન્ટની કમીટી બનાવી છે. તમે સમજી શકો કે આઈટીએક મોટો ઈશ્યું છે તથા લોન અને તેના પ્રોડકટ અલગ છે.

બધાના ડિપોઝીટના પ્રોડકટ અલગ છે. તો બધી કમીટી બેસીને ડિસાઈટ કરશે કે કઈ પ્રોડકટ સારી છે. જયાં સુધી તે ડેઈટ ફાઈનલ થાય ત્યાં સુધી અમે અમારી સ્ક્રીમ અમારી પોલીસી તે બધુ ફાઈન્ડટયૂન કરી લેશું કે કઈ વસ્તુઓ આપી શકીશું અને હું વિશ્વાસ આપવા માંગીશુ કે જે દેનાબેંકના ગ્રાહક છે. તેને ફાયદો થશે.

ત્રણેય બેંકમાંથી બેસ્ટ ટેકનોલોજી આઈટીની તે એમને મળશે તેમને ફેસેલીટી મળશે. બીજુ સૌથી સારી પ્રોડકટ તેમને મળશે અને અમે તેમની સેવા કરી શકીશું જે આજે અમને લોનની સમસ્યાઓ સામે આવી રહી છે. કે અમે લોન નથી આપી શકતા અમારા કસ્ટમરોને સમસ્યાઓ થઈ રહી છે.

જે અમલગમેશન થઈ જાશે જે લોનની સમસ્યા છે. અમને ઉમ્મીદ છે કે તે હટી જશે જે પીસીએ છે તે પીસીએમાંથી બહાર આવી જશું કારણ કે બે બેંકની પ્રોઝીશન ત્રણેયને મેળવીને અને ગર્વમેન્ટએ એ પણ કહ્યું છે કે કેપીટલની સોર્ટેજ હતી. તેની સમસ્યા અમે નહી આવવા દઈએ નવી જે બેંક બનશે તેમને જેટલી કેપીટલ જોઈએ તે આપવામાં આવશે અને મર્જરને અમલગમેશનને સકસેસફૂલ બનાવવામાં આવશે.

અત્યારે વેલ્યુએશન થઈ રહી છે. અને ત્રણેયના શેર છે. અને તેમાં નાના નાના જે શેર હોલ્ડરસ છે ત્રણેયના મેજોરીટી ગર્વમેન્ટ પાસે છે. પરંતુ જે નાના નાના શેર હોલ્ડર છે તેમને નુકશાન ન થાય. તે માટે ત્રણેય પોતાની અલગ અલગ વેલ્યુએશન કરે છે. તેના બેઈઝ પર સ્વેપ્રેશન ડિસાઈડ થશે શેરની જે દિવસે સ્વેપ્રેશન ડિસાઈડ થશે સ્ક્રીમ બનશે.

અમલગમેશનની જેની અમને ઉમ્મીદ થશે કે તે ડિસેમ્બરમાં પાર્લામેન્ટમાં પ્લેસ થઈ જશે. અને ત્યારબાદ થઈ શકે કે આવી બધી આઈટી, ફફોસીસ કંપનીઓ છે તો જણાવશે. તે કેટલા દિવસમાં અમે તે કરી શકીશું. પરંતુ અ્ત્યારની હાલતને જોતા એવું લાગે છે કે ૧ એપ્રિલ પહેલા તો નહી થાય. અમલગમેશન ૧ એપ્રિલના પહેલા નહી થાય હવે તે ૧ એપ્રીલે થશે કે ૧ જુલાઈએ થશે તે કહેવું મુશ્કેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.