Abtak Media Google News

ત્રણ દિવસની મુલાકાત દરમિયાન કોર ગ્રુપ પ્રદેશના પદાધિકારી અને સંગઠનના હોદેદારો સાથે બેઠક

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રભારી ભુપેન્દ્રજી યાદવ આજથી ૧ એપ્રિલ એમ કુલ ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. યાદવજી એમના આ પ્રવાસ દરમ્યાન કોર ગ્રુપ, પ્રદેશ પદાધિકારી સહિત સંગઠનના વિવિધ હોદેદારો અને પદાધિકારીઓ સાથે બેઠક યોજશે. તેઓ સંગઠનાત્મક બાબતો અને આગામી કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપશે.

આગામી બે સપ્તાહ દરમ્યાન બુથથી લઈ પ્રદેશ કક્ષાએ વિવિધ સંગઠનાત્મક કાર્યક્રમો યોજાશે. આ પૈકી ૬ એપ્રિલ, ભાજપ સ્થાપના દિનની સમગ્ર રાજયમાં સંગઠન સ્તરે ઉજવણી કરવામાં આવશે.

જેમાં બુથ સ્તરે ‘બુથ યાત્રા’ ઉપરાંત ભાજપનો ઈતિહાસ, વિસ્તાર સહિત સંગઠનની બાબતો અંગે માર્ગદર્શન કાર્યક્રમો યોજાશે.

આ ઉપરાંત ૬-૭ એપ્રિલ દરમ્યાન પ્રભારી મંત્રીઓ સાથે રાજયના જિલ્લા/મહાનગરમાં જે-તે જિલ્લા સંગઠન, જિલ્લા સંકલન અને સંગઠન-ચુંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાશે. બંધારણાના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકર જન્મદિન ૧૪ એપ્રિલે પણ વિવિધ કાર્યક્રમો યોજાશે એમ જીતુભાઈ વાઘાણીએ ઉમેર્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.