Abtak Media Google News

અલગ અલગ ગામોથી રપ જેટલા બેન્ડની સુરાવલી: ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ખાસ ઉ૫સ્થિતિ રહેશે

વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ હીઝહોલીનેશ ડો. સૈયદના અબુલ કાઇદ જોહર મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબ (રી.અ.) ના ૧૦૮મી મિલાદ મુબારક (જન્મજયંતિ) તથા ત્રેપનમા દાઇ હીઝહોલીનેશ ડો. સૈયદના આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ.) ના ૭૫ માં જન્મ દિવસની રાત્રે તા. ૨૭/૧૨/૧૮ ગુરુવારના રોજ સુરત ખાતે ભવ્ય શાનદાર પ્રોસેસન (મોકીબ) નીકળશે જેમાં અલગ અલગ ગામોથી દાઉદી વ્હારા સમાજના રપ જેટલા બેન્ડ સુરત મુકામે આવશે ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પણ પધારશે અને ડો. સૈયદના સાહેબ (ત.ઉ.સ.) ને મુબારક બાદી પેશ કરશે. વિશ્વભરમાંથી દાઉદી વ્હોરા સમાજના લોકો હજારોની સંખ્યામાં સુરત મુકામે આવી રહ્યા છે. અને આ ભવ્ય પ્રોસેશનમાં સામીલ થશે સુરત મુકામે પધારી ગયા છે અને આપ દેવડી મુબારક પાસે બનાવેલ સ્ટેજ પર જીલવા અફરોઝ થશે અને પ્રોસેશન પર નજર ફરમાવશે

અને હજારો હજારો દાઉદી વ્હોરા સમાજના લોકોને આપના દિદાર નું શરફ મળશે તેમ શેખ યુસુફભાઇ જોહર  કાર્ડસ વાલાએ અખબારી યાદીમાં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.