Abtak Media Google News
ભુજ નજીક ગોઝારા અકસ્માતમાં ધોરાજીના મોટા ગુંદાળાના 9 પટેલ યુવાનોના મોત.. 
ઉતરાયણના શુભ પર્વે ફરવા નિકળેલા કચ્છના લોરીયા નજીક ખાનગી બસ અને ઈક્કો કાર નંબર GJ-3-EC-3681 વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ 9 લોકોના મોત થયા છે અને 5 થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ભુજથી ખાવડા તરફ જતાં માર્ગ પર લોરીયા ચેકપોસ્ટ પાસે ઈકો કાર અને બસ વચ્ચે સર્જાયેલી ટક્કરમાં નવ લોકોનાં મોત નીપજ્યાં છે. મૃતકોમાં ઈકો કારમાં બેસેલાં લોકોનો સમાવેશ થાય છે. ભુજની હોસ્પિટલ ચોકીએથી પ્રાપ્ત વિગતો અનુસાર દુર્ઘટના સાંજે 5.40 વાગ્યાની આસપાસ બની હતી. મૃતકો રાજકોટના ધોરાજીના હોવાનું જણાવાયું છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારને બસથી અલગ કરવા માટે JCBની મદદ લેવાઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.