Abtak Media Google News

પૂ. પ્રમુખસ્વામી મહારાજના ૯૮માં જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે

ભારતીય સંસ્કૃતિમાં ભાદરવા સુદ ૧૧ જળઝીલણી તથા પાશ્વ પરિવર્તિની એકાદશીતરીકે પ્રસિદ્ધ છે. ચાતુર્માસ દરમ્યાન પોઢેલા ભગવાન આજના દિવસે પાશ્વ તરફ પોતાનું પડખું ફેરવે છે. એ નિમિતે આજનો આ અવસર ઉજવવામાં આવે છે. ચોમાસાની ઋતુમાં ભગવાનની કૃપાી વરસાદ વરસે છે જેથી નદી-નાળા છલકાઈ જતા હોઈ છે તેમજ પ્રકૃતિ પણ ખીલી ઉઠે છે.

ભગવાને કરેલા ઉપકારનું ઋણ વાળવા સૌ ભક્તો આજે જળઝીલણીનો ઉત્સવ ઉજવે છે. ભક્તો ઠાકોરજીનું પૂજન અર્ચન કરી નદી કે તળાવમાં સ્નાન તથા વિહાર કરાવી ભક્તિ અદા કરે છે. જેને જલઝીલણી ઉત્સવ કહેવામાં આવે છે. આ દિવસે સૌ ભક્તો નિર્જળા એકાદશી કરે છે.2 78ગોંડલ ચોકડી પાસે આવેલ બીએપીએસ સ્વામિનારાયણ વાડીમાં આ ઉત્સવ ખૂબ જ ધામધૂમી ઉજવવામાં આવ્યો હતો.જેમાં ઠાકોરજી સો વિઘ્નહર્તા દેવ ગણપતિજીને જળવિહાર કરાવવા માટે ગોંડલ ચોકડીી સ્વામિનારાયણ વાડી સુધી શોભાયાત્રા દ્વારા લઇ જવામાં આવ્યા હતા.

આ પર્વે બીએપીએસ સ્વામિનારાયણ વાડીમાં ઉપસ્તિ રાજકોટના હજારો હરિભક્તોએ એકાદશીના ઉત્સવને ખૂબજ ભવ્યતાી ઉજવ્યોે હતો. જેમાં પૂ.અક્ષરપ્રકાશ સ્વામીએ વ્યસનોથી પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજે લાખો લોકોના જીવનનું કઈ રીતે પરિવર્તન કર્યું તેના અદ્ભુત પ્રસંગોનું રસપાન કરાવ્યું હતું.3 57 પૂ.વિશ્વેશર્તી સ્વામીએ ભોગવિલાસના આ યુગમાં સદાચાર યુક્ત જીવન જીવતા સત્સંગી સમાજની ભેટ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજે આપી છે તેની વાતો કરી હતી. અંતમા બીએપીએસ સ્વામીનારાયણ મંદિર રાજકોટના સંત નિર્દેશક પૂ.અપૂર્વમુનિ સ્વામીએ પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજે વહેમ અને અંધશ્રદ્ધાી મુક્ત લાખો હરિભક્તોનો સત્સંગ સમાજ તૈયાર કર્યો તે વિષયક અદ્ભુત વક્તવ્યનો લાભ આપ્યો હતો.કોઠારી પૂ.બ્રહ્મર્તી સ્વામીએ દીક્ષાંત પ્રવચનો લાભ આપ્યો હતો.

આ સમગ્ર ઉત્સવમાં  આરતી દ્વારા ભક્તોએ ઠાકોરજીને ભક્તિ અર્પણ કરી હતીઅને સંતોએ ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવી પૂજન કર્યું હતું. જળ ઝીલણી ઉત્સવના અંતિમ ચરણમાં  જળકુંડમાં વિઘ્નહર્તા દેવ ગણપતિજી મહારાજનું વિસર્જન કરવામાં આવ્યું હતું. અમદાવાદ ખાતે પૂ. મહંતસ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં જળ ઝીલણી ઉત્સવ ખુબજ ભવ્યતા અને દિવ્યતાપૂર્વક ઉજવવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.