Abtak Media Google News

ભૈયુજી મહારાજના બુધવારે ભમોરી સ્મશાન ઘાટમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેમની દીકરી કુહૂએ તેમને મુખાગ્નિ આપી. આ પહેલાં પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે તેમના સૂર્યોદય આશ્રમમાં રાખવામાં આવ્યો હતો. ભૈયુજી મહારાજે મંગળવારે બપોરે પોતાના સ્પ્રિંગ વેલી સ્થિત ઘરમાં લમણે ગોળી મારી આત્મહત્યા કરી હતી.

દીકરી આપી મુખાગ્નિ

મંગળવારે ભૈયુજી મહારાજે પોતાના નિવાસસ્થાને પોતાને ગોળી મારી આત્મહત્યા કરી હતી.ભૈયુજી મહારાજનું પાર્થિવ શરીર ઈન્દોરમાં તેમના આશ્રમમાં બપોર સુધી અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. જે બાદ વિજય નગર સ્થિત ભમોરી મુક્તિ ધામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આધ્યાત્મિક ગુરૂ ભૈયુજી મહારાજની અંતિમ યાત્રા તેમના સર્વોદય આશ્રમથી રવાના થઈ. ફુલોથી શણગારેલા વાહનમાં ભૈયુજી મહારાજના પાર્થિવ દેહને રાખવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.