Abtak Media Google News

લોકડાઉનથી બેકાર બનેલા યુવાને પત્ની અને  ત્રણ બાળકો સાથે સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો ’તો

પોરબંદરનો યુવાન લોક ડાઉનના કારણે બેકાર બન્યાબાદ દેણુ વધી જતા ધોરાજીનાં ભાડેર નજીક એક ડેમમા ત્રણ સંતાન અને પત્ની સાથે સામુહિક આપઘાતનાં કરેલા પ્રયાસમાં બે માસુમ બાળકોનાં પાણીમાં ડુબાડી મોત નિપજાવવાનાં ગુનામાં જેલ હવાલે થયેલા મૃતકના પિતાની જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે. પ્રાપ્ત વિગત મુજબ મૂળ પોરબંદરના રહેવાસી શબ્બીર અહેમદ રાઠોડ તેમના પિતાને પેરાલિસિસનો હુમલો આવતા પોરબંદરમાં પાણખાણીયા ની હોસ્પિટલમાં દાખલ કરે તે વખતે તેમણે કરજો થયેલો હતો ત્યારબાદ પોતાના બંને દીકરાઓને સુન્નત શાદી માટે પણ તેમણે રકમ લીધેલ હતી અને તે રકમ તે પાછી ભરી શકતા ન હતા. તેમને પૂછી ના આપનાર ભુપતભાઈ મેર કે અન્ય લોકો તરફથી ત્રાસ ન હતો પરંતુ તેમને પોતાને શરમ આવતી હતી આથી તેઓ પોરબંદર થી નીકળી અને પોતાના સાસરે ગયેલા પરંતુ ત્યાં કોઈ કામ ધંધો મળેલો નહીં પછી ઉપલેટા પોતાના બહેનને ત્યાં ગયેલા ત્યાં ત્રણ દિવસ રોકાવા છતાં તેમને કોઈ કામ ધંધો મળેલો નહીં આથી બધાને વંથલી જવું છે તેમ કહી અને પોતાના ત્રણે બાળકો પત્નીને રિક્ષામાં લઈ અને નીકળી ગયેલા ત્યાંથી તેઓ ભાડેર ગામ ના સ્મશાન પાસે પહોંચતા રિક્ષામાંથી ઉતરી ગયેલ અને નજીકમાં થોડું કામ છે તેમ કહી અને બધાને લઈને જતા હતા એવામાં ચેકડેમ પાસે પહોંચતા તેમણે પુલ ઉપરથી પોતાના સંતાનોને પાણીમાં ફેંકી દીધેલ અને પોતાના પત્નીને પણ પાણીમાં ફેંકી દીધા અને પોતે પણ પાણીમાં કૂદી ગયા પરંતુ પાણી ઊંડું ન હોવાથી તેમણે પોતાના બાળકોને ઊંડા પાણી તરફ ધકેલવા લાગેલ અને આ વખતે તેમના પત્ની આજીજી કરી અને પ્રયત્ન કરતા હતા પરંતુ લોકડાઉનના કારણે કોઈ આર્થિક ઉપાર્જન ન હોવાથી કંટાળી ગયેલા શકશે એ પોતાના બાળકોને પાણીમાં ધકેલી દીધેલા આ વખતે ત્યાંથી ગોવાળ નીકળતા તેમણે આ દૃશ્ય જોતાં તેમણે પોતાના જીવની ચિંતા કર્યા વગર રુકસાના બેન ૂશરય જ્ઞર સબીર ભાઈ અને સબીર ભાઈ ને બચાવી લીધેલ તથા દીકરા અહેમદને પણ બચાવી શકે જ્યારે આ શબ્બીરભાઈ નો દીકરો મહંમદ અને રેહાના મરણ ગયેલા હતા આ બનાવ પરથી ગુવાર ની ફરિયાદ લઇ અને પાટણવાવ પીએસઆઇ શ્રી રાણાએ તપાસ હાથ ધરેલી અને અને તેઓને ધરપકડ કરી હતી.ત્યાર બાદ ચાર્જશીટ થઈ જતાં આરોપી તરફથી રજૂઆત કરવામાં આવી હતીકે લોકડાઉનની આર્થિક સંકડામણને કારણે આરોપી તરફથી આવું પગલું ભરેલુ હોય  અદાલત દયાની દૃષ્ટિએ જોઈએ ત્યારે સરકારી વકીલ તરફથી એવી દલીલ કરવામાં આવેલી હતી કે કોઈ પણ મનુષ્ય નો વધ કરવામાં આવે તે કોઈ વ્યક્તિ કે કુટુંબ નહીં પરંતુ માનવતા વિરુદ્ધનું અપરાધ છે તે હળવાશથી લઈ શકાય નહીં હાલના આરોપીએ આ કોઈ ઉતાવળિયું કે ભરેલું પગલું નથી તેમણે નિર્ણય લીધેલો છે અને યોગ્ય પગલું સમજીને ભરેલું છે તેમને જામીન ઉપર ન છોડવા જોઈએ આ તમામ દલીલોને ધ્યાને લઇ અને ધોરાજીના નવનિયુક્ત એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ રાહુલ મહેશ ચંદ્ર શર્મા એ આરોપી શબ્બીર અહેમદ રાઠોડની જામીન અરજી રદ કરી  છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.