Abtak Media Google News

એપ્રીલ-૨૦૧૯થી દરેક બેન્કોએ જેના ફલોટીંગ રેટ લોન લીંક કરવાનું ફરજિયાત કરવાનો રિઝર્વ બેન્કનો નિર્ણય

દરેક ગરીબ અને મઘ્યમ વર્ગના નાગરીકોના પોતાના ઘરના સ્વપ્નને હોમલોન દ્વારા પુરા કરવામાં આવે છે. પરંતુ અત્યાર સુધી હોમલોનના વ્યાજ દર જે તે બેન્કે દ્વારા નકકી કરવામાં આવતા હતા. જેથી બેન્કો મનમાન્યા વ્યાજ દર વસુલતી હતી. પરંતુ હવે, હોમલોનના વ્યાજ દર બજાર નકકી કરશે રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયાએ ગઇકાલે જણાવ્યું હતું કે એપ્રિલ-૨૦૧૯થી દરેક બેન્કો માટે જે હોમલોનના દરો તે પછી વ્યકિતમાનને નાના ઉઘોગકારો માટે પણ સમાન રહેશે.

જેનું મુખ્ય કારણ આરબીઆઇ રેપોરેટ સહિતના બીલો રજુ કરવામાં આવ્યા હતા જે ફાયનાન્સીયલ બેન્ક ચાર્જ તરીકે પ્રસ્થાપિત થયેલું છે લોનમાં પારદર્શકતા જળવાઈ રહે, લોનની વાસ્તવિક કિંમત બેંકીંગ રેટ નકકી કરવાની જેના માટે બેંકોને ફરજીયાત પણે પર્સનલ લોનને લીંક કરવા બાબત સૂચનો કરવામાં આવ્યા છે.

ભારતમાં એક માત્ર સીટી બેંક જ એવી છે કે જે હોમલોન માટે બાહ્ય બેંકોમાર્કનો ઉપયાગે કરે છે. આ વર્ષ માર્ચમાં બેંક હોમલોન યોજના રજૂ કરી હતી જયારે વ્યાજદર સરકારના ૯૧ દિવસનાં ટ્રેઝરી બીલ સાથે જોડાયા હતા ફલોરીંગ રેટ હોમલોન માટે બાહ્ય બેંચકાર્કના ઉપયાગેથી અંતિમ ગ્રાહકને પારદર્શકતા આપશે અને માર્ચ ૨૦૧૮માં તે લોન્ચ કર્યા બાદ અનુકુળ પ્રતિસાદ મળી રહ્યો છે.

પારદર્શકતા વધારવા તેમજ ટ્રાન્સફર દરોમાં સુધારો કરવા માટે એકસ્ટર્નલ બેન્ચમાર્કનું નિર્માણ કરવામાં આવશે. આરબીઆઈની પોલીસી વધતી માંગને પૂર્ણ કરવા માટે છે. જો બેંક રેટ એકશનમાં સુધારો કરે તો સફળતા મેળવી શકાય. ગત વર્ષોમાં બેંકોએ તેના માર્જીનને સુરક્ષીત રાખવાના પ્રયત્નો કર્યા છે. આરબીઆઈ મોનીટરીંગ પોલીસી ડિપાર્ટમેન્ટના મુખ્ય સલાહકાર ઘણા વર્ષોથી આરબીઆઈ ફલોટીંગ રેટ લોનના મુદ્દાને સંબોધવાનો પ્રયાસ કરી રહ્યાં હતા. જો બજાર દર વધે તો સરળતાથી લક્ષ્ય હાસીલ કરી શકાય પરંતુ જયારે વ્યાજના દર નીચે આવે ત્યારે તે સ્થિરતા પામે છે.

બેંકોના લોનના વિસ્તરણના ફેલાવાને બદલે નવા દેવાદારોના દરોમાં ફેરફાર કરવા આરબીઆઈ સંચાલન કરી રહ્યું છે માટે આરબીઆઈના સંબોધવા બેંકોને પીએલઆર ધીરાણ દર (એમસીએલઆર) જે ભંડોળના વધતા ખર્ચ આધારીત છે તેને બદલવાનું કહેવામાં આવ્યું હતું. કારણ કે હોમ લોનના મલ્ટીપલ રેટને કારણે કેટલીક મુશ્કેલીઓ પડતી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.