વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારી બ્લુ વ્હેલ ગેમના કારણે ગુજરાતમાં પણ એક આત્મહત્યાનો કેસ નોંધાયો છે. ત્યારે રાજકોટ જીલ્લામાં બ્લુ વ્હેલ ગેમ પર પ્રતિબંધ મૂકવા જીલ્લા કલેકટર ડો. વિક્રાંત પાંડેએ આજે જાહેરનામુ પ્રસિઘ્ધ કર્યુ છે.આ અંગે જીલ્લા કલેકટરે જણાવ્યું કે બ્લુ વ્હેલ ગેમ ખતરનાક છે ગેમમાં એડમીશ દ્વારા પાસવર્ડ અપાઇ છે. આખી ગેમનો દોરી સંચાર એડમીશ જ કરે છે. પ૦ થી પપ દિવસના સમયગાળામાં પ્લેયરને આત્મહત્યા તરફ લઇ જવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ ખતરનાક ગેમ પર પ્રતિબંધ મુકવાનો સરકારે નિર્ણય લીધો છે. જેથી રાજકોટના બ્લુ વ્હેલ ગેમ પર પ્રતિબંધ લાદવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત સામે ભારતના ફોજદારી અધિનિયમ સને ૧૮૬૦ ની કલમ ૧૮૮ તથા ગુજરાત પોલીસ એકટની કલમ ૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર થશે.
Trending
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર
- સંગીત વિચાર શકિત, એકાગ્રતા, માનસિક શાંતિ તથા ડિપ્રેશન માટે લાભદાયક