Abtak Media Google News

જાગનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ ખાતે કાલે ‘પ્રેમની પારાશીશી’ વિષયે સુંદર પ્રવચન યોજાનાર છે. આ વિષયે પ્રવચનકાર પૂ.આચાર્ય ભગવંત યશોવિજય સુરીશ્વરજી મ.સા. સર્વેને દિલમાં ઉતરી જાય એવી સરળ, સુમધુર શૈલીમાં પ્રવચન આપશે.

આ અંગે પૂ.આચાર્ય ભગવંત યશોવિજય સુરીશ્ર્વરજી મ.સા. જણાવે છે કે, સમાજમાં આદર કેટલો મળશે? એની પારાશીશી જો ‘સતા’ છે, જીવનમાં સાધનો કેટલા મળશે? એની પારાશીશી જો ‘સંપતિ’ છે તો જીવનમાં કેટલો પ્રેમ આપણે આપી શકીશું અને મેળવી શકીશું? તેની પારાશીશી? તેના પ્રત્યુત્તરમાં જણાવે છે કે આ અંગે જાણવા જ‚ર સાંભળો જાહેર પ્રવચન પ્રેમની પારાશીશી? આ વિષયે સુંદર પ્રવચન પૂ.આચાર્ય ભગવંત યશોવિજય સુરીશ્વરજી મ.સા. આપશે. ‘પ્રેમની પારાશીશી’ જાહેર પ્રવચન કાલે ૯ થી ૧૦:૩૦ કલાક દરમ્યાન જાગનાથ પૂજક જૈન સંઘ, ૪/૧૪ જાગનાથ રાજકોટ ખાતે યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.