Abtak Media Google News

જેતપુર શહેરના ભોજાધાર વિસ્તારમાં રહેતા વિજયભાઈ સુરેલાની ૪ વર્ષની બાળકી કુ.રોશની વિજયભાઈ સુરેલાનુ ડ્રેનેજની ટાંકીમાં અકસ્માતે પડી જતા અવસાન થયેલ,આ ગરીબ પરીવાર પર આવી પડેલ મુશ્કેલીમાં  જયેશ રાદડીયાના પ્રયાસોથી માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી રાહતફંડ માંથી રૂ. ૨ લાખ મંજુર કરતા મંત્રીજયેશ રાદડીયાના હસ્તે બાળકીના પિતાને ચેક અર્પણ કરવામાં આવ્યો.આ પ્રસંગે મામલદાર વાળુકીય,નિખિલ મેહતા,પાલિકા સદસ્ય ગોપાલભાઈ ડોબરીયા,નીતિનભાઈ વાછાણી ઉપસ્થિત રહ્યા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.