Abtak Media Google News

પોતાના પ્રાણની પરવાહકર્યા વિના દેશના સીમાડાઓ અને સાર્વભૌમત્વનું રક્ષણ કરનાર દેશના સિપાહીઓ યુદ્ધ સિવાયકાયદો અને વ્યવસ જેની જાળવણી તેમજ કુદરતી અને માનવસર્જિત અકસ્માત કે આપત્તિઓમાં પણનાગરિકોની સહાયતા માટે ખડે પગે રહી સમાજ અને દેશની અમૂલ્ય સેવા બજાવવા અગ્રેસર રહેછે. દેશની રક્ષા કરવા સતત તૈનાત રહેતાઆપણા સૈનિકો પ્રત્યે ઋણ અદા કરવાની આપણી અને સમાજની મોટી જવાબદારી થાય છે.

દેશની રક્ષા કાજે પોતાનાપ્રાણ ન્યોછાવર કરનાર બહાદુર સૈનિકોના પરીવારજનો સ્વમાનભેર અને સુરક્ષીત રીતે પોતાનોજીવન નિર્વાહ કરી શકે તેવા ઉમદા હેતુસર ૭ ડીસેમ્બર ૧૯૪૯ થી સમગ્ર દેશમાં સશ સેના ધ્વજદિવસ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય સુરક્ષાને સુનિશ્ચિત કરતા સમગ્ર દેશમાં, ત્રણેયસેવાઓનું પ્રતિનિધિત્વ કરતા લાલ, વાદળી, બલ્યુ રંગોમાં નાના ફ્લેગ અને કાર ફ્લેગ્સ સૈનિકવેલફેર ફંડમાં ફાળો આપ્યા બાદ આપવામાં આવે છે. ખાસ કરીને નાના બાળકો તથા યુવાનોમાં સશસ્ત્ર સેના ધ્વજ દિનના ફ્લેગ એકઠા કરવાનું ખાસ્સું ધેલું છે.

સશસ્ત્ર સેના ધ્વજ દિવસે  ભારતના લોકોપાસેથી ભારતીય સશ દળના કર્મચારીઓના કલ્યાણ માટે ભંડોળ એકત્ર કરવામાં આવે છે. જેનો મૂળભૂત હેતુ દેશની રક્ષા કાજે પાોતાના પ્રાણન્યોછાવર કરનાર બહાદુર સૈનિકોના પરીવારજનો સ્વમાનભેર અને સુરક્ષીત રીતે પોતાનો જીવનનિર્વાહ કરી શકે તેવી વ્યવસ કરવા તેમજ યુધ્ધ અને સૈનિક કાર્યવાહી દરમ્યાન શારીરિક રીતે ક્ષતિગ્રસ્ત થવાના કારણે સશસ્ત્ર સેનાઓમાંથી નિવૃત થયેલા સૈનિકોના પુન:વસવાટ માટે તેમજ સશ સેનાઓને યુવાન રાખવાની રાષ્ટ્રનિતીનાફળ સ્વરૂપે તમામ નાગરિક સેવાઓની સરખામણીમાં ઘણી નાની ઉંમરમાં સશસ્ત્ર સેનાઓમાંથી નિવૃત થતાસૈનિકો અને તેઓના પરિવારજનોના કલ્યાણ માટે વિવિધલક્ષી કલ્યાણકારી યોજનાઓ બનાવવા માટે સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળનો ઉપયોગ કરવામાં આવે છે.

સશસ્ત્ર સેના ધ્વજદિનના દિવસે ભારતીય સશ દળોની તમામ ત્રણેય પાંખો, ભારતીય સેના, ભારતીય હવાઇદળ અને ભારતીય નૌકાદળના કર્મચારીઓના પ્રયત્નોને બીરદાવવા માટે વિવિધ શો, કાર્નેલિઅસ, નાટકો અને અન્ય મનોરંજન કાર્યક્રમોની વ્યવસ કરવામાં છે.

આપણા સૈનિકો પ્રત્યેઆત્મીયતા અને સન્માનની લાગણીની અભિવ્યક્તિ કરી તેઓના મનોબળને દ્દઢ કરવાના આ અવસરે સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં યથા-યોગ્ય યોગદાન આપવા જિલ્લાના પ્રત્યેક નાગરિકોને અપીલ કરવામાં આવે છે.

સંરક્ષણ મંત્રીની સમિતિએઇ.સ.૧૯૪૯માં મૂળ ધ્વજ દિનની સ્થાપના કરી હતી. ૧૯૯૩ માં ભારતના સંરક્ષણ મંત્રાલયે એકલ સશસ્ત્ર દળોના ફ્લેગ ડે ફંડને લગતું કલ્યાણભંડોળ એકત્રિત કર્યું હતું. તે ભંડોળમાંવોર બેરવેડ, વોર ડિસેબલ્ડ અને અન્ય ભૂતપૂર્વ સર્વિસમેન / સર્વિસિંગ કાર્સનલ માટેસ્પેશિયલ ફંડ, ફ્લેગ ડે ફંડ, કેન્દ્રીય સૈનિક બોર્ડ ફંડ, ભારતીય ગોરખા એક્સ-સર્વિસમેન વેલ્ફેર ફંડનો  સમાવેશ થાય છે.

આ ફંડ સંગ્રહ સમગ્રદેશમાં ‘કેન્દ્રીય સૈનિક બોર્ડ’ (કેએસબી)ની સનિક હયિારો દ્વારા સંચાલિત થાય છે, જે સંરક્ષણ મંત્રાલયનો ભાગ છે. સ્વયંસંચાલિત સંસઓ દ્વારા અધિકૃત અને બિન-આધિકારિક માધ્યમો દ્વારા ફંડ સંગ્રહનું આયોજન કરવામાં આવે છે. ભૂતપૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતોના કલ્યાણ કેન્દ્રતા રાજ્ય સરકાર ની કામગીરી કરવામાં આવે છે.

કેન્દ્રમાં કેન્દ્રિય સૈનિક બોર્ડ,રાજ્યોમાં જીલ્લા સૈનિક બોર્ડે ભૂતપૂર્વ સૈનિકો, સૈનિકોની વિધવાઓ, તેમના આશ્રિતોના પુનર્વસન અને કલ્યાણ યોજનાઓના નીતિ ઘડતર અને અમલીકરણ માટે જવાબદાર છે. આ સંદર્ભે કેન્દ્ર સરકારનીસહાય માટે, દેશમાં ૩૨ રાજ્ય સૈનિક બોર્ડઅને ૩૯૨ જીલ્લા સૈનિક બોર્ડ છે. ભૂતપૂર્વસૈનિકોના પુન:સ્થાપન અને કલ્યાણ માટેની નીતિઓ પર રાજ્યમાં સૈનિક કલ્યાણ વિભાગને સલાહ આપે છે, સૈનિક કલ્યાણ સચિવ અને જિલ્લા સૈન્ય કલ્યાણ અધિકારી પાસેથી અહેવાલો માંગે છે, જે સેવા અને તેમના આશ્રિતોથી અપ્રામાણિત ભૂતપૂર્વસૈનિક, વિધવાઓ, અપંગ કર્મચારીઓને ફરીથી પુન:વસવાટ કરવા માટેની નીતિઓ અને તેના અમલીકરણ પર કાર્યકરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.