મુસાફરોની ભીડ ન થાય, સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે, કોરોનાનુ જોખમ ન વધે તે માટે રાજકોટ વિભાગીય એસટી દ્વારા મુસાફરોના પ્રવાસ દરમિયાન સઘન પગલાં લેવામાં આવ્યા છે. સ્ટાફ દ્વારા સંક્રમણ ન થાય તે માટે રાજકોટ એસ ટી કચેરીના સો ટકા સ્ટાફનો એન્ટીજન ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. રાજકોટ એસ.ટી વિભાગીય નિયામક યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે જયારથી લોકડાઉન શરૂ થયું ત્યારથી એસટી સંચાલન બાબતે સરકારની સેનેટાઇઝડ, સોશિયલ ડિસ્ટન્સીન્ગ, માસ્ક ફરજિયા , થર્મલ ગનથી સ્ક્રીનીંગ સહિતની તમામ માર્ગદર્શિકાનું પાલન કરી જરૂરી ટીમો બનાવીને એસ.ટી.ડેપોમાં ટ્રીપોની કામગીરી કરવામાં આવેલ છે. લોકડાઉન દરમિયાન બહારના મજૂરોને વતન પહોંચાડવા ૫૦૦ ટ્રીપનુ સંચાલન કરવામાં આવ્યું હતું . રેલ્વે સ્ટેશન સુધી શ્રમિકોને પહોંચાડવા ૧૧૦૦ ટ્રીપનુ સંચાલન કરવામાં આવેલ છે. વધુમાં મુસાફરોને ફરજિયાત માસ્ક પહેરવાનું, પ્રવેશ દરમિયાન ડેપોમાં થર્મલ ગનથી સ્કીનીગ, અને સેનેટાઈઝ કરવામાં આવે છે. મુસાફરોમાં જાગૃતિ આવે તે માટે જરૂરી સૂચનાઓ જારી કરવામાં આવે છે .અંદાજે ૭૦થી વધુ પોઇન્ટ પર કર્મચારીની રાઉન્ડ ધ કલોક ફરજો સોપી થર્મલગનથી ચડતા ઉતરતા મુસાફરોની ચકાસણી કરવામાં આવે છે.
Trending
- દર શુક્રવારે કરો આ કામ, ધનની દેવી લક્ષ્મીની કૃપા વરસશે
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે અને વાદ-વિવાદ થી દૂર રહેવું
- રાજ્ય પોલીસ બેડામાં બદલીનો ગંજીપો ચિપાયો : 12 આઈપીએસની બદલીના આદેશ છૂટ્યા
- લોંગ ટ્રેડિશન લુકમાં ડેઝી શાહનું ફોટોશૂટ
- તમન્ના ભાટિયાને IPL 2023ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ મામલે મળ્યું સમન્સ
- ગુજરાતી ફિલ્મ ‘ઉડન છું’ દર્શકોને એન્ટરટેઇન કરવા આવી રહી છે સિનેમા ઘરોમાં
- પખવાડિયા પૂર્વે સંજય વાટિકા સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : કુખ્યાત ભૂતિયા ગેંગનો સભ્ય ઝડપાયો
- ભાડેથી કાર મેળવી પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ : કુલ 47 વાહનો સાથે બેલડી ઝબ્બે