Abtak Media Google News

ઓખા મંડળ વિધા વિસ્તાર કેન્દ્રનો વાર્ષિક મહોત્સવ ઘડેચી ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની શરૂઆતમાં દિપ પ્રાગટય કન્યાઓ દ્વારા પાર્થના તથા ગણેશ વંદના કરવામાં આવી હતી ત્યારબાદ વિવિધ સુંદર નાટકો જેવી કૃતિઓ રજુ કરવામાં આવી હતી. આ પ્રસંગે અખિલ ભારતીય હિન્દુ મહાસભાના અધ્યક્ષ જગદીશભાઈ શાસ્ત્રીએ સર્વે વિદ્યાર્થીઓને આર્શીવચન આપી શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમમાં ઓખામંડળ વિધાવિસ્તાર કેન્દ્રના કારોબારી સમિતિના હોદેદારો અને ટ્રસ્ટીમંત્રી રામભા હોથીભા કેરે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં આવેલા મહેમાનો દ્વારકા તાલુકાના શિક્ષણ ટીપીઈડી, સીઆરસી, બીઆરસી તથા દ્વારકા અને મીઠાપુર કોલેજના અધિકારીઓ સાથે તાતા કેમી, ટીસીએસઆરડીના અધિકારીઓ આર્મીમેન અને આરએસએસના હોદેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તથા વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય, શિક્ષકો તથા છાત્રાલયના ગૃહમાતા, ગૃહ પતિઓએ ખુબ જ સારું આયોજન કર્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.