Abtak Media Google News

પક્ષી પ્રેમીઓને આંચકો મૃત પક્ષીના પી.એમ. કરાશે

રાજયભરમાં બર્ડ ફલુની દહેશય છે અને તંત્ર પણ જાગૃત છે ત્યારે લખતરના ઓળક ગામની સીમમાં આઠ ઢેલ અને એક તેતર મૃત હાલતમાં મળતા સમગ્ર જિલ્લાના પક્ષીપ્રેમીઓમાં અરેરાટી વ્યાપી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં દબાતા પગે બર્ડ ફ્લુની એન્ટ્રી થઈ રહી હોવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અવાર-નવાર પશુ-પક્ષીઓ સહિત રાષ્ટ્રીય પક્ષીના શંકાસ્પદ હાલતમાં મૃત્યુના બનાવો વધી રહ્યાં છે ત્યારે લખતર તાલુકાના ઓળક ગામની સીમમાં રહસ્યમય હાલતમાં માદા મોર (ઢેલ) અને તેતર સહિતના પક્ષીઓ મૃત હાલતમાં મળી આવતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી  આ અંગે ખેતરના માલીકે વન વિભાગની ટીમને જાણ કરી હતી. આ અંગે સુત્રો પાસેથી માળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટીસંખ્યામાં પશુ-પક્ષીઓ જોવા મળી રહ્યાં છે અગાઉ અનેક વખત રહસ્યમય રીતે પશુ-પક્ષીઓના મોતના બનાવો પણ વધી રહ્યાં છે ત્યારે ઢાંકી પંમ્પીંગ સ્ટેશન માટે ઓળક ગામની સીમમાં બલભદ્રસિંહ ઝાલાના ખેતરમાં એક સાથે ૮ માદા મોર (ઢેલ) અને ૧ તેતર મૃત હાલતમાં મળી આવતાં આસપાસના લોકો સહિત ખેતર માલીક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતાં આ અંગે વન વિભાગની ટીમને જાણ કરતાં વન વિભાગના અધિકારીઓ સહિત કર્મચારીઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતાં અને વધુ તપાસ હાથધરી હતી તેમજ મૃત તમામ પક્ષીઓનો કબ્જો લઈ પીએમ અર્થે મોકલવામાં આવ્યાં હતાં. જ્યારે મોટીસંખ્યામાં પક્ષીઓના મોત નીપજતાં પક્ષીપ્રેમી સહિત લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને આ અંગે યોગ્ય તપાસ કરી પક્ષીઓના મૃત્યુ પાછળનું સાચું કારણ જાણી જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.