Abtak Media Google News

રાંદરડા, લાલપરી તળાવ ઉંડા કરવાનો કાર્યક્રમ યોજાયો.

ભાજપા સરકાર દ્વારા સમગ્ર ગુજરાતભરમાં જળ સંચય અભિયાન હાથ ધરાયું છે. ત્યારે સુજલામ- સુફલામ અંતર્ગત શહેરના લાલપરી, રાંદરડા, આજી નદી તથા રેસકોર્ષ-ર સહીતના તળાવ ઉંડા કરવાનું તથા કાંપ કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ત્યારે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ ભાજપના વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓને ઝોન વાઇઝ જવાબદારીઓ સોંપવામાં આવી છે તે અંતર્ગત સામાકાઠા વિસ્તારમાં આવેલા રાંદરડા  લાલાપરી ખાતે શહેર ભાજપ મહામંત્રી કીશોર રાઠોડની આગેવાની હેઠળ વોર્ડના આગેવાનો  જોડાયા હતા.

જેમાં રાજુભાઇ અધેરા, અશ્ર્વિન મોલીયા, પરેશ પીપળીયા, દલસુખ જાગાણી, મુકેશ રાદડીયા અશોક લુણાગરીયા, કાનાભાઇ ડંડૈયા, સી.ટી.પટેલ રસિકભાઇ પટેલ, સંજય રાઠોડ, પ્રવિણભાઇ પટેલ સહીતના બહોળી સંખ્યામાં ઉ૫સ્થ્તિ રહ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.