Abtak Media Google News

હરિભકતોને મંદિરે ન આવવા મહંતોનો અનુરોધ: ઓનલાઈન દર્શનની વ્યવસ્થા ગોઠવાઈ

ગોંડલ અક્ષર મંદિરના સાધુ દિવ્યપુરુષ દાસના (કોઠારી સ્વામી) ની યાદીમાં જણાવાયું છે કે દિન-પ્રતિદિન કોરોના વાયરસનું સંક્રમણ વધતું જઈ રહ્યું છે. જાહેર સ્વાસ્થ અને સુરક્ષાને ધ્યાનમાં રાખી આજથી શ્રી અક્ષરદેરી તથા શ્રી અક્ષર મંદિર ગોંડલ સંપૂર્ણ બંધ રહેશે. જ્યાં સુધી જણાવવામાં ન આવે ત્યાં સુધી મંદિર દર્શન સંપૂર્ણ બંધ રહેશે. અસ્થિ વિસર્જન માટેની વિધિ પણ મંદિર દર્શન બંધ રહે ત્યાં સુધી બંધ રહેશે. અક્ષર મંદિર ગોંડલ ઠાકોરજી ના દર્શન લાઈવ રોજ નીચેની લીંક પરથી થઈ શકશે. http://eg.BR/bapsgondallive સમય સવારે ૭:૩૦ થી ૮:૦૦ અને સાંજે ૭:૩૦ થી ૮:૦૦ થશે જેની ભક્ત સમુદાય નોંધ લેવી.

તેમજ ગોંડલના કોઈપણ હરિભક્તોએ અક્ષરદ્વાર પાસે દર્શન કરવા માટે એકઠા થવું નહીં. બંને સમયે માત્ર ઓનલાઈન દર્શન કરવા, બંને સમયના લાઈવ દર્શન આપેલી લીંક તથા શાયોના વર્લ્ડ વિઝનમાં પણ થઈ શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.