Abtak Media Google News

બેંગ્લોરમાં ચાલી રહેલી એરો ઇન્ડિયા 2019 દરમિયાન એક મોટી દુર્ઘટના થઇ છે. બેંગલુરુમાં એર શોના રિહર્સલ દરમિયાન સૂર્ય કિરણ ઍરોબેટિક્સની ટીમના વિમાનો સામસામે ટકરાતા 2 વિમાન ક્રેશ થયા હતા. આ દુર્ઘટનામાં એક પાયલટનું મોત થયું છે જ્યારે એક સામાન્ય નાગરિક ઘાયલ થયો હોવાની માહિતી મળી છે.

આ ઘટના કેમ થઇ તેના વિશે હજી કઈ પણ કહી શકાય તેમ નથી. હાલમાં આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. તમને સમગ્ર ઘટના જણાવીએ તો સૂર્ય કિરણ ઍરોબેટિક્સની ટીમના બંને પાયલટે એરક્રાફ્ટ રિહર્સલ દરમિયાન ઉડાન ભરી રહ્યા હતા પરંતુ જ્યારે બંને એરક્રાફ્ટ આકાશમાં પહોંચ્યા ત્યારે તેઓ એકબીજા સાથે જ અથડાઈ ગયા હતા. અને વીમાન નીચે પડતાં જ આગ લાગી હતી. આ એર શો 20 ફેબ્રુઆરીથી શરૂ થવાનો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.