નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં નવી વીએસ હોસ્પિટલનું ઉદઘાટન કર્યું હતું. ત્યાર બાદ તેમણે શોપિંગ ફેસ્ટિવલનો શુભારંભ કરાવ્યો અને વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી.પીએમએ કહ્યું કે SVP હોસ્પિટલથી સમગ્ર ગુજરાતના લોકોને લાભ મળશે. SVP હોસ્પિટલ હેલિપેડ ધરાવતી દેશની એકમાત્ર સરકારી હોસ્પિટલ છે. અહિંયા પેપરલેસ કામગીરી થશે. ઉદ્ધાટન પહેલા પીએમ મોદીએ હોસ્પિટલની છત પર જાતે નિરિક્ષણ કર્યું હતું.આ પહેલા જનરલ વોર્ડ, ઓપરેશન થિયટેરની અત્યાધુનિક સેવાઓનું પણ નરેન્દ્ર મોદીએ નિરિક્ષણ કર્યું હતું.2 લાખ ચોરસમીટર વિસ્તારમાં ફેલાયેલો દેશના સૌથી મોટા ટ્રેડ શોનો પ્રારંભ કરાયો હતો. ટ્રેડ શોમાં 1200 સ્ટોલ છે.પ્રથમવાર યોજાનાર બાયર-સેલર્સ મીટમાં દેશ-વિદેશના 1500 બાયર- સેલર ભાગ લઇ રહ્યા છે. જેમની વચ્ચે 10,000 જેટલી બેઠકો યોજાશે. જેમાં 2,000 કરોડથી વધુનો વ્યાપાર થવાની શક્યતા છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે અને દિવસ આનંદદાયક રહે
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર