Abtak Media Google News

હાઇવે ઉપર બંધ પડેલા ક્ધટેનર સાથે બસ અથડાતા સર્જાયો અકસ્માત

માળીયા મિંયાણા નજીક સુરજબારી અને હરીપર વચ્ચે વહેલી સવારે અંજાર બાંટવા રૂટની એસ.ટી બસને અકસ્માત નડતા કંડકટર સહીત ૩૦ મુસાફરો ને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ વહેલી સવારે માળીયા હાઈવે પર થી પસાર થતી અંજાર-બાંટવા રૂટ ની એસ.ટી બસ હરીપર ગામ નજીક પહોંચતા હાઈવે પર પડેલા ટ્રેલર પાછળ ધડાકાભેર એસ.ટી બસ અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં એસટી બસના કંડકટર સહીત ૩૦ મુસાફરો ને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે અન્ય એસ.ટી બસમાં મોરબી હોસ્પિટલ ખસેડાયા હતા વહેલી સવારના ગંભીર અકસ્માત થી હાઈવે મુસાફરો ની ચીચીયારી ઓથી ગુંજી ઉઠ્યો હતો ઉપરાંત આ ગંભીર અકસ્માત માં ઈજાગ્રસ્તો માં જયસુખભાઈ ખુમાનંદ ચુડાસમા રહે અમીપર બાંટવા,ગોસાઈ હરદેવગીરી આનંદગીરી રહે આદીપુર,કેશુભાઈ રાજાભાઈ દેવીપુજક રહે ગાંધીધામ,મારાજ અંબારામ રાયમલ રહે ગાંધીધામ,નિશાબેન અશોકભાઈ વાણંદ રહે ભચાઉ,રીનાબેન રમણીકભાઈ વાણંદ રહે ભચાઉ,કુસરબેન અંબારામ મારાજ ગાંધીધામ,મંગારામ કેશારામ રહે રાજસ્થાન સહીત ના ૩૦ મુસાફરો ને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને તાત્કાલિક સારવાર અર્થે મોરબી હોસ્પિટલ ખસેડાયા હતા.એસ.ટી બસ ના કંન્ડકટર જયસુખભાઈ ચુડાસમા એ જણાવ્યુ હતુ ટ્રકે બસને ઓવરટેક કરતા હાઈવે પર પડેલ અકસ્માતગ્રસ્ત ટ્રેલર ન દેખાતા આ ગંભીર અકસ્માત સર્જયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.