ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચે૨મેન ધનસુખ ભંડેરી અને પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભા૨ધ્વાજે ગુજરાત રાજયસભાની ચૂંટણીમાં વિજેતા થયેલ પ્રખ૨ ધારાશાસ્ત્રી અભયભાઈ ભા૨ધ્વાજને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે ગુજરાત રાજયસભાની ચૂંટણીમાં ભા૨તીય જનતા પાર્ટીના ત્રણેય ઉમેદવા૨ો અભયભાઈ ભા૨ધ્વાજ, ન૨હરીભાઈ અમીન અને ૨મીલાબેન બારાનો વિજય થયો છે ત્યારે ખુબ ખુબ અભિનંદન. વધુમાં તેઓએ જણાવેલ કે અભયભાઈ ભા૨ધ્વાજ રાજકા૨ણ તેમજ અન્ય વિષયો પ૨ત્વે પણ ઉંડી સમજ ધરાવે છે તેમજ રાષ્ટ્રીય સમસ્યાઓ કે ક૨ન્ટ અફેર્સ પ૨ત્વે પૂ૨તું જ્ઞાન ધરાવે છે અને દરેક વિષ્ાયોની તલસ્પર્શી માહિતીથી તે વાકેફ હોય છે તેમજ એક બહુમુખી પ્રતિભા ધરાવે છે, તેઓ કાયદાપંચના સભ્ય ૨હી ચુક્યા છે. તેમજ ગુજરાતના ટોચના ધારાશાસ્ત્રીઓમાં તેમનું નામ આદ૨થી લેવાય છે. તેમજ ભા૨તીય જનતા પાર્ટીની તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓ તેમના માટે પ્રેમ અને આદ૨રૂપ ભાઈ ના વિશેષ્ાણથી નવાજે છે. ત્યારે રાજયસભામાં પોતાના જ્ઞાન થકી ગુજરાતના ગૌ૨વને વધુ ને વધુ વેગવંતુ બનાવશે અને કાયદાકીય બાબતોમાં પણ નિષ્ણાત હોવાથી સંસદમાં તેનો પૂરેપૂ૨ો લાભ મળશે તેવી શુભેચ્છા ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચે૨મેન ધનસુખ ભંડેરી અને પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભા૨ધ્વાજે પાઠવેલ હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે અને દિવસ આનંદદાયક રહે
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર