Abtak Media Google News

પરિવાર ગણપતિના દર્શન કરવા ગયા અને તસ્કરો હાથફેરો કરી ગયા

ગોંડલના જેતપુર રોડ પર આવેલા વૃંદાવન પાર્કમાં ગતરાતે બંધ રહેલા મકાનને તસ્કરોએ નિશાન બનાવી દરવાજાના તાળા તોડી તિજોરીમાંથી સોના-ચાંદીના ઘરેણા અને રોકડ મળી રૂ.૪.૬૫ લાખની મત્તાનો હાથફેરો કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના વૃંદાવન પાર્કમાં રહેતા અને ક્ધટકશનના વ્યસાય કરતા ગૌતમગીરી મુગટગીરી ગૌસ્વામી ગતરાત પરિવાર સાથે ગણપતિના દર્શન કરવા ગયા હતા તે દરમિયાન બંધ રહેલા મકાનના દરવાજાના તસ્કરોએ તાળા તોડી તિજોરીમાંથી સોના-ચાંદીના ઘરેણા અને રોકડ મળી રૂ.૪.૬૫ લાખની મત્તા ચોરી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે. પોલીસે સીસીટીવી ફુટેજ મળી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.