વેરાવળ છેલ્લા ઘણા સમયથી ગીર, બરડા, આલેચના માલધારી સમુદાય દ્વારા આદિવાસી જાતિના દાખલાને લઈ એલ.આર.ડી.માં અન્યાય મુદે રાજ્ય સરકાર સામે આંદોલન ચાલી રહ્યું છે. દરમિયાન જૂનાગઢ ખાતે રબારી સમાજના મ્યાંજરભાઇએ હતાશામાં આવી આત્મહત્યા કરી લીધી હોવાથી માલધારી સમાજમાં રોષ ભભૂક્યો છે. જે સંદર્ભે આજે વેરાવળના નવા રબારીવાડામાં આદિવાસી માલધારી ઉપવાસ આંદોલન સમિતિના નેજા હેઠળ સભા યોજાઇ હતી. માલધારી સમાજને થઇ રહેલ અન્યાય બાબતે સ્વ.મ્યાંજરભાઇ હુણ, સ્વ.ડાયાભાઇ ગરચરને શ્રધ્ધાજંલિ અપાઈ હતી. ભુવાઆતા રાજા આતા, લડત સમિતિના રણવીરભાઈ દેસાઈ, ગણપતભાઈ મોરી, દશરથ ગોવાલિયા, બી.ડી.રબારી સહિતના આગેવાનોએ સંબોધી સમાજને કઇ રીતે અન્યાય થઇ રહ્યો છેતે અંગે વિસ્તૃત સમજણ આપી હતી. સરકારી અધિકારીઓની રાગદ્રેષની નીતિનો ભોગ માલધારી સમાજને બનાવી રહ્યાનો આક્ષેપ કર્યો હતો. જ્યાં સુધી માલધારી સમાજને નયાય ન મળે તયાં સુધી લડત ચાલુ રહેશે તેવો હુંકાર ભર્યો હતો.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે અને વાદ-વિવાદ થી દૂર રહેવું
- રાજ્ય પોલીસ બેડામાં બદલીનો ગંજીપો ચિપાયો : 12 આઈપીએસની બદલીના આદેશ છૂટ્યા
- લોંગ ટ્રેડિશન લુકમાં ડેઝી શાહનું ફોટોશૂટ
- તમન્ના ભાટિયાને IPL 2023ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ મામલે મળ્યું સમન્સ
- ગુજરાતી ફિલ્મ ‘ઉડન છું’ દર્શકોને એન્ટરટેઇન કરવા આવી રહી છે સિનેમા ઘરોમાં
- પખવાડિયા પૂર્વે સંજય વાટિકા સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : કુખ્યાત ભૂતિયા ગેંગનો સભ્ય ઝડપાયો
- ભાડેથી કાર મેળવી પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ : કુલ 47 વાહનો સાથે બેલડી ઝબ્બે
- ક્ષત્રિય આંદોલન સહિતના કારણોસર સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યામાં 210નો વધારો