Abtak Media Google News

કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહ લગ્ન સમિતિ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલી આપી ફાળો અર્પણ કરાયો: ૨૭ દિકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા

મોરબી ખાતે આવેલ પરશુરામપોટરી સામાકાંઠે મોરબી સમસ્ત ભરવાડ સમાજ શ્રી કોઠાવાળા મચ્છુ યુવાસંગઠન સમૂહલગ્ન સમિતિ મોરબી દ્વારા તૃતીય સમૂહલગ્ન યોજાયા હતા. આ સમૂહ  લગ્નોત્સવમાં સમૂહ લગ્ન સમિતિએ શહીદોના પરિવારને મદદરૂપ થવા રૂ.૧.૦૧ લાખનું અનુદાન આપ્યું હતું તેમજ નવદંપતિઓ અને મહેમાનો તેમજ ઉપસ્થિત તમામ સમાજના લોકોએ બે મોનિટ મૌન પાળીને શહીદોને શ્રદ્ધાંજલી આપી હતી.જ્યારે આ સમૂહલગ્નમાં  સમાજની ૨૭ દિકરીઓ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.

નવદંપતિઓ તેમજ મહેમાનો સહિત ઉપસ્થિત રહેલા સમાજના તમામ લોકોએ શહીદોને બે મિનિટ મૌન પાળીને શ્રદ્ધાંજલી આપી હતી.તેમજ મોરબી સમસ્ત ભરવાડ સમાજ શ્રી કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહ લગ્ન સમિતિ દ્વારા શહીદોના પરિવારોને મદદરૂપ થવા માટે રૂ.૧.૦૧ લાખનું અનુદાન આપવામાં આવ્યું હતું. સાથે જ સમૂહ લગ્નોત્સવ માં ફાળો આપનાર  દાતાઓનુ સમૂહ લગ્ન સમિતિ દ્વારા સન્માન  કરવામા આવ્યું હતું. જ્યારે આ સમૂહલગ્નમાં ૨૭ યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા. અને સમૂહ લગ્ન ને સફળ બનાવવા કોઠાવાળા  મચ્છુ યુવા સંગઠન સમૂહ લગ્ન સમિતિ મોરબી દ્વારા  ભારે જહેમત ઉઠવાઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.