Abtak Media Google News

પીડીએમ કોલેજ કેમ્પસ ખાતે આવેલ પંચશીલ સ્કુલમાં ધો.૧૦થી ૧૨ ના વિદ્યાર્થીઓ માત્ર પરિક્ષાલક્ષી ભણતરના ભારથી મુરઝાયેલા શિક્ષણના બદલે સ્વપ્નોના વાવેતરથી સફળ જીવનના ઘડતર તરફ દોરી જતુ કારકીર્દીલક્ષી શિક્ષણ મેળવે તેવા ઉમદા હેતુથી કેરીયર એજયુકેશન પ્રોગ્રામ છેલ્લા ૩ વર્ષથી કાર્યરત છે.

તાજેતરમાં કેરીયર એજયુકેશન પ્રોગ્રામ અંતર્ગત આરસીસી બેંકના સી.ઈ.ઓ. ડો.પુરૂષોતમ પીપળીયા દ્વારા પોતાના જીવનના અનુભવી થકી બેંકીંગ ક્ષેત્રમાં સફળ કારકીર્દીનું નિર્માણ કેવી રીતે કરી શકાય તેમજ પોતાના કાર્ય પ્રત્યે નિષ્ઠા અને પ્રતિબધ્ધતા કેળવી જીવનમાં સફળ થઈ શકાય તેવું માર્ગદર્શન તેઓએ આપ્યું હતુ.

આપ્રસંગે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ડો. ડી.કે. વાડોદરીયા વિદ્યાર્થીઓને આ કેરીયર એજયુકેશન પ્રોગ્રામ થકી પોતાની કારકીર્દી નિર્માણનું યોગ્ય ક્ષેત્ર પસંદ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.