Abtak Media Google News

ધોરાજી જામકંડોરણા હાઈવે પર વેગડી ગામ પાસે પુરપાટ આવતાં કાળમુખા ટ્રક કે મોટરસાઈકલ ને અડફેટે લેતાં ધોરાજી ના મુસ્લિમ યુવાન નુ ઘટનાસ્થળ જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું

આ અંગે મળતી વિગત અનુસાર ધોરાજી જામકંડોરણા હાઈવે પર  ધોરાજી થી ૮ કિલોમીટર દુર વેગડી ગામ પાસે ધોરાજી ના બહારપુરા વિસ્તારમાં રહેતા વાહીદભાઈ અહમદભાઈ ચૌહાણ ઉ.વ ૪૬  પોતાના કામ અર્થે જામકંડોરણા આવ્યા હતા અને આસરે ૪ વાગ્યે પોતાના ધર ધોરાજી પરત ફરીયા ત્યારે વેગડી ગામ પાસે  પુરપાટ આવતાં કાળમુખા અજાણ્યા  ટ્રકે વાહીદભાઈ ના મોટરસાઈકલ ને અડફેટે લેતાં વાહીદભાઈ નુ ઘટનાસ્થળ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું આ મુતક ની ડેડબોડી પીએમ અર્થે ધોરાજી ના સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ છે  હાલમાં મુસ્લિમ સમાજ ના પવિત્ર રમજાન માસ ચાલુ હોય આ રમજાન માસ મુસ્લિમ ભાઈઓ ખુદા ની બંદગી કરવા રોજા રાખવા આવ્યા હોય છે આજે રમજાન માસનુ ૧૭ મુ રોજુ છે આ રમજાન માસ ના પવિત્ર દિવસ વાહિદભાઈ નુ કરૂણ અકસ્માત થતાં ધોરાજી ના મુસ્લિમ સમાજ મા ઘેરા શૌક ની લાગણી ફેલાઈ જવા પામી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.