Abtak Media Google News

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 25 જાન્યુઆરીના રોજ 80મી પ્રિસાઇડિગ ઓફીસરોની કોન્ફરન્સ મીટિંગના ઉદઘાટન માટે કેવડિયા કોલીની ખાતે મુલાકાત લીધી.આ કૉંફરેન્સ 26 નવેમ્બરના રોજ ઉજવવામાં આવતા બંધારણ દિવસ માટે યોજવામાં આવી હતી.

આ કોન્ફરન્સમાં ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે , ઉપરાષ્ટ્રપતિ ,રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુ અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા આ કૉંફરેન્સમાં હાજર હતાં.આ કોન્ફરન્સ થીમ વિધાનસભા, કારોબારી અને ન્યાયતંત્રની સુમેળપૂર્ણ સંકલન-વાઇબ્રન્ટ લોકશાહીની ચાવી છે.લોકસભા દ્વારા 26 નવેમ્બરબ રોજ બંધારણીય દિવસની ઉજવણી માટે સંમેલનનું આયોજન કરાયું છે.26 નવેમ્બરના રોજ સંવિધાન દિવસની ઉજવણી નિમિતે પ્રધાનમંત્રી દ્વારા સંબોધન કરવામાં આવશે.

Screenshot 4 18

સંમેલન દરમિયાન ધારાસભ્યો વધુ જવાબદાર બનવાના સંકલ્પ લેશે :

યોજનાર સંમેલનમાં તમામ પ્રેસિડેન્ટ અધિકારીઓ અને ધારાસભ્યો દ્વારા વધુ જવાબદાર બનાવવા અને બંધારણીય મૂલ્યો અનુસાર તેમને મજબૂત અને સશક્ત બનાવવાના સંકલ્પ લેશે. વ્યવસ્થિત અને શિસ્તબદ્ધ રીતે વિધાનસભાના કામકાજના મુદ્દાઓ સાથે, દેશના નાગરિકોને વિધાનસભા અને કારોબારીની અસરકારક જવાબદારીની ખાતરી કરવાના માર્ગો પર પણ તેઓ વિચાર કરશે.તેઓ ભારતીય લોકશાહીને મજબૂત બનાવવા અને લોકશાહીના ત્રણ સ્તંભો વચ્ચે વધુ સારા સહયોગ અને સંકલનની જરૂરિયાત સહિત તેને વધુ અસરકારક બનાવવાના માર્ગો પર પણ ચર્ચા કરશે.

રામનાથ કોવિંદનું સંબોધન

Screenshot 5 15

સંસદીય લોકતંત્ર માં સત્તા પક્ષની સાથે પ્રત્યક્ષ પણ એટલું જ મહત્વ ધરાવે છે તેથી આ બંને પક્ષોમાં વિચાર-વિમર્શ થવા આવશ્યક છે નિષ્પક્ષતા અને ભાવનાથી કામ કરવું એ સંસદીય વ્યવસ્થાનો આધાર છે બધા જ સદસ્યો અને અધિકારીઓ એકબીજાને મર્યાદા બનાવી રાખવી જોઈએ અને જો ગરિમાનું ધ્યાન રાખવામાં આવશે તો અધિકારીઓનું માન વધશે. મને વિશ્વાસ છે કે આ બંને દિવસ ના મન થયું છે તમારામાં છે નવા વિચારો આવશે અને જે નિષ્કર્ષ નીકળશે તેનાથી લોકતાંત્રિક વ્યવસ્થાને નવી મજબૂતાઈ મળશે. જનતા પ્રત્યે જવાબદાર બનવું એ આપણી ફરજ છે.દેશના ત્રણેય અંગો મળીને આ બંધારણ દિવસ પર દેશના વિકાસ અને ગરીબોના વિકાસ વગેરે ક્ષેત્રોમાં વિકાસના ધ્યેય સાથે કાર્ય કરશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.