Abtak Media Google News

દર્દીને ૨૦ હજાર જેટલા ધાબળાનું વિતરણ: હજારો લોકોને નવી દ્રષ્ટી મળી

સદગુ‚દેવ ભગવાન શ્રી રણછોડદાસજીબાપુની અસીમ કૃપા તથા આર્શિવાદથી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટ દ્વારા એપ્રીલ ૨૦૧૮થી માર્ચ ૨૦૧૯ સુધીમાં એટલ કે એક વર્ષમાં ૫૨,૨૫૫ બાવન હજાર બસો પંચાયન આંખના મોતીયાના ઓપરેશન કરી લોકોને દિવ્ય ગૂરૂદ્રષ્ટિ આપવામાં આવી હતી.

આ ૫૨,૨૫૫ ઓપરેશન કરવામાં આવ્યા છે. તે ઓપરેશન ભારત તથા વિશ્ર્વમાં મોતીયાનાં ઓપરેશન કરતી કોઈકોઈ પણ સંસ્થા કે આંખની હોસ્પિટલ દ્વારા ફેકોમશીન તથા ખાસ સોફટ ફોલ્ડેબલ નેત્રમણી કરવામાં આવતા નથી. પરંતુ શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટ દ્વારા પ.પૂ. શ્રી સદગુરૂદેવ ભગવાન શ્રી રણછોડદાસજીબાપુનાં જીવન સંદેશ ‘મુઝે ભૂલ જાના, પર નેત્રયજ્ઞ કો નહિ ભૂલના’ ને ચરિતાર્થ કરી તમામ દર્દી ભગવાને આ નેત્રમણી આરોપણ કરીને આ ૫૨,૨૫૫ આંખના વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવ્યા છે.

5

એટલું જ નહી આ ઓપરેશન બીજી કોઈ પણ સંસ્થા કે હોસ્પિટલમાં કરવામાં આવે તો દર્દી ભગવાનને રૂ. ૮,૦૦૦ થી ૧૦,૦૦૦ રૂપીયા જેટલો ખર્ચ થાય છે, જે શ્રી રણછોડદાસજીકબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટમાં બિલકુલ વિનામૂલ્યે એટલે કે એક પણ રૂપીયો લીધા વગર તેમનું ઓપરેશન કરી તેમને દિવ્ય ગૂરૂદ્રષ્ટી આપવામાં આવે છે.

5 5

આમ શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટ દ્વારા એક વર્ષમાં રેકોર્ડ બ્રેક ૫૨,૨૫૫ આંખના મોતીયાના ઓપરેશન કરી ગુજરાત રાજયનાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોનાં ગરીબ અને જરૂરીયાતમંદ દર્દી ભગવાનને દિવ્ય ગૂરૂદ્રષ્ટી આપવામાં આવી છે. જેમની માસ પ્રમાણે વિગત મુખ્ય જોઈએતો એપ્રીલ ૨૦૧૮માં ૨૭૦૩, મે ૨૦૧૮માં ૨૮૨૯, જૂન ૨૦૧૮ ૨૭૩૭, જુલાઈ ૨૦૧૯માં ૩૩૨૭, ઓગષ્ટ ૨૦૧૮માં ૩૪૨૯, સપ્ટેમ્બર ૨૦૧૮માં ૩૬૩૯, ઓકટોબર ૨૦૧૮માં ૩૮૫૦નવેમ્બર ૨૦૧૮માં ૩૭૫૦, ડિસેમ્બર ૨૦૧૮માં ૬૬૩૩, જાન્યુઆરી ૨૦૧૯માં ૭૦૦૮, ફેબ્રુઆરી ૨૦૧૯માં ૫૭૮૫, માર્ચ ૨૦૧૯માં ૬૫૬૫ કુલ ૫૨,૨૫૫ ઓપરેશનો કરાયા હતા.

ઓપરેશન એપ્રીલ ૨૦૧૮ થી માર્ચ ૨૦૧૯ સુધી ઓપરેશન કરવામાં આવેલ છે,

તમામ દર્દી ભગવાનને ગુજરાત રાજયના જેતે કેમ્પનાં સ્થળેથી હોસ્પિટલની બસ દ્વારા અહિંયા વિનામૂલ્યે જ લઈ આવવામાં આવે છે. તથા દર્દી ભગવાનને તમામ પ્રકારની સુવિધા અહીયા આપવામાં આવે છે તેઓને ૪ વખત જમવાનું ૬ વખત ચા,ર વખત નાસ્તો તથા શુધ્ધ ઘીનો શીરો આપવામાં આવે છે. પ.પૂ. શ્રી સદગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસજીબાપુશ્રીએ દર્દી સાક્ષાત નારાયણ સ્વરૂપ છે. માટે તેમની દરરોજ આરતી ઉતારવામાં આવે છે. તથા તેમની સેવા કરવામાં આવે છે. તથા શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટ દ્વારા આવેલ દરેક દર્દી ભગવાનને ૨૦,૦૦૦ જેટલા ધાબળાનું વિતરણ કરવામાં આવેલ હતુ. આમ શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા એક વર્ષમાં ૫૨,૨૫૫ મોતીયાનાં ઓપરેશન કરી દર્દીભગવાને દિવ્ય ગૂ‚દ્રષ્ટી આપવામાં આવી છે. તથા હોસ્પિટલનાં સંકલ્પ મોતીયા વિહિન ગુજરાતમાં અગ્રેસર થઈ રહી છે. આ ૫૨,૨૫૫ ઓપરેશન આપ તમામ પ્રેસ, મીડીયા તથા તંત્રીઓનાં સાથ સહકારથી અમો આ લક્ષ્યાંક હાસીલ કરી શકયા છીએ આપના અથાગ પ્રચારથી ગુજરાત રાજયનાં છેવાડાનાં ગામ સુધી સમાચાર પહોચાડીને અમોને આ દર્દી ભગવાનના ઓપરેશન કરવામાં આપ ઉપયોગી બન્યા છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.