Abtak Media Google News

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 520 કેસ નોંધાયા છે અને 27 દર્દીના મૃત્યુ થયા છે.જ્યારે 348 દર્દીને રજા આપવામાં આવી છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 25148 કેસ નોંધાયા છે અને કુલ મૃત્યુઆંક 1561એ પહોંચ્યો છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધીમાં 17440 દર્દીઓને સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

અમદાવાદમાં 330, સુરતમાં 65, વડોદરામાં 44, ગાંધીનગરમાં 16, ભરૂચમાં 7, જામનગરમાં 6, જૂનાગઢમાં 5, ભાવનગર, રાજકોટ, આણંદ, પાટણ, ખેડામાં 4-4, મહેસાણા, ગીર-સોમનાથમાં 3-3, બનાસકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, અમરેલીમાં 2-2, મહીસાગર, સાબરકાંઠા, બોટાદ, દાહોદ, નવસારી, નર્મદા, મોરબીમાં 1-1 અને અન્ય રાજ્યમાં 4 કેસ નોંધાયા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.