Abtak Media Google News

રેડિએન્સ હોસ્પિટલ અમદાવાદ અને ગિરિરાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી રામજી ઠાકર ચેરીટેબલ ટ્રસ્ટ બાલમંદિર દ્વારકા ખાતે યોજાયેલ સર્વરોગ નિદાન કેમ્પમાં કુલ  ૨૯૭ દર્દીઓએ લાભ લીધો. જેમાં કિડની તથા મૂત્ર રોગના ૯૯ દર્દીઓ, પેટ-આંતરડાંના ૪૮ દરદીઓ,કરોડરજ્જુ મણકાના ૯૧ દર્દીઓએ ભાગ લીધેલ.

કેમ્પમાં દિન પ્રાગટ્ય અમદાવાદથી પધારેલ ડોક્ટર્સ ટીમ ડો.અપૂર્વ વ્યાસ, ડો. કેતન શુક્લા, ડો. ચેતન ગોકાણી, ડો.જ્યુન શાહ, ડો.શૌરભ ગોયલ, તથા ઉપસ્થિત મહેમાનો દ્વારા કરવામાં આવેલ. દ્વારકાના પ્રતિષ્ઠિત વિનોદ ગોકાણી,ઇશ્વરભાઇ ઝાખરીયા, હીરેનભાઇ ઝાખરીયા, કે.જી.હીન્ડોચા, અશ્વિનભાઇ ગોકાણી, સુરેશભાઈ વાયડા તથા સોનલબેન લાડવાની હાજરીમાં કરવામાં આવેલ.  સફળ બનાવવામાં  અશ્વિનભાઈ ગોકાણી ઈશ્વરભાઈ ઝાખરીયાએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.