જૂનાગઢ સક્કરબાગ ઝૂ માંથી પોરબંદરના બરડા ડુંગરમાં સિંહોના સંવર્ધન માટે બનાવાયેલા જીનપૂલમાં વધુ ૨ સિંહણ અને ૫ બચ્ચાંને મોકલવામાં આવ્યા છે. જ્યારે ૧ સિંહણને પોરબંદર થી જુનાગઢ સક્કરબાગમાં લાવવામાં આવી છે. એશીયાટીક સિંહ પ્રજાતિમાં વધારો થાય તેવા હેતુથી પોરબંદરના બરડા ડુંગરમાં એશીયાટીક સિંહોના સંવર્ધન માટે એક જીનપૂલ તરીકે ઓળખાત સંવર્ધન કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે, આ જીન પુલમાં તાજેતરમાં વધુ ૨ સિંહણ અને ૫ સિંહ બચ્ચાંને જુનાગઢ સક્કરબાગમાંથી મોકલવામાં આવ્યા છે. જ્યારે બરડા જીનપૂલમાં ૧ સિંહ જેનું નામ એ-વન અને ઉમર ૫ વર્ષ છે, તથા ૩ બ્રિડીંગ કરતી માદા અને ૭ સિંહ બચ્ચાંનો ઉછેર થઇ રહ્યો છે. જ્યારે બચ્ચાનો ઉછેર કરી ન શકતી ૧ સિંહણને જૂનાગઢ સક્કરબાગ ઝૂ ખાતે મોકલી દેવાઇ છે. હાલ પોરબંદરના બરડા ડુંગરમાં આવેલા આ જીનપૂલમાં ૧ સિંહ કે તે ઉપરાંત ૨ સિંહણ અને ૨ બચ્ચા રાખવામાં આવ્યા હતા, જેમાંની એક સિંહણ કે જે થોડા સમય પહેલા તેને આવેલા બચ્ચાનો ઉછેર કરી શકી ન હતી તેને અહીંથી જુનાગઢ સક્કરબાગ ખાતે મોકલી દેવામાં આવી છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે અને વાદ-વિવાદ થી દૂર રહેવું
- રાજ્ય પોલીસ બેડામાં બદલીનો ગંજીપો ચિપાયો : 12 આઈપીએસની બદલીના આદેશ છૂટ્યા
- લોંગ ટ્રેડિશન લુકમાં ડેઝી શાહનું ફોટોશૂટ
- તમન્ના ભાટિયાને IPL 2023ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ મામલે મળ્યું સમન્સ
- ગુજરાતી ફિલ્મ ‘ઉડન છું’ દર્શકોને એન્ટરટેઇન કરવા આવી રહી છે સિનેમા ઘરોમાં
- પખવાડિયા પૂર્વે સંજય વાટિકા સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : કુખ્યાત ભૂતિયા ગેંગનો સભ્ય ઝડપાયો
- ભાડેથી કાર મેળવી પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ : કુલ 47 વાહનો સાથે બેલડી ઝબ્બે
- ક્ષત્રિય આંદોલન સહિતના કારણોસર સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યામાં 210નો વધારો