Abtak Media Google News

એસજીવીપી ગુરુકુળના પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ ૭૫મી વખત કર્યું રક્તદાન.

અત્યારે ઝડપી અને ખર્ચાળ સમયમાં દર્દીને લોહીની જરૂરિયાત વર્તે ત્યારે વારંવાર મુશ્કેલીઓ અને ખર્ચ ભોગવવો પડે ત્યારે આવા સમયે જગતસિંહજી એમ. જાડેજા (રીબડા) દ્વારા સ્વ. રામદેવજીસિંહ જાડેજાની સ્મૃતિમાં દર વર્ષે બે વખત રકતદાન કેમ્પ યોજવામાં આવે છે.

તાજેતરમાં સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ (એસજીવીપી) સંચાલિત એસજીવીપી ગુરુકુલ રીબડાના સંચાલક પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થીમાં સ્કોડા શોરૂમ ગોંડલ રોડ રાજકોટ ખાતે જગતસિંહજી જાડેજા દ્વારા સ્વ. રામદેવજીસિંહ જાડેજાની ૧૭મી પુણ્યસ્મૃતિમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ ૭૫મી વખત રક્તદાન કર્યું હતું. આ કેમ્પમાં ૩૫૦૦ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું અને અત્યાર સુધીમાં ૯૫,૩૭૮ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.