Abtak Media Google News

ટ્રેનના એસી કોચમાં મુસાફરી કરનારા પૈસાવાળા લોકો રુમાલ, ચાદર અને ધાબળા ચોરીના મામલે શકના ઘેરામાં છે. ૨૦૧૭-૧૮ દરમિયાન ટ્રેનના અઈ કોચોમાંથી લાખો રુપિયાના ચાદર, ધાબળા અને રુમાલ ગાયબ થઈ ગયા છે.

જેની કુલ કિંમત ૧૪ કરોડ રુપિયા જણાવવામાં આવી છે. રેલવેના એક અધિકારીએ આ માહિતી આપી છે. પાછલા વર્ષે દેશભરમાં ટ્રેનોમાં અઈ કોચમાં લગભગ ૨૧,૭૨,૨૪૬ બેડરોલ ગાયબ થઈ ગયા છે, જેમાં ૧૨,૮૩,૪૧૫ રુમાલ, ૪,૭૧,૦૭૭ ચાદર અને ૩,૧૪,૯૫૨ તકિયાના કવર ચોરાઈ ગયા છે. આ સિવાય ૫૬,૨૮૭ તકિયા અને ૪૬,૫૧૫ ધાબળા ગાયબ છે.

રેલવે મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ગાયબ થયેલા સામાનની કુલ કિંમત ૧૪ કરોડ રુપિયા થાય છે. આટલું જ નહીં વોશરુમમાંથી મગ, ફ્લશ પાઈપ અને કાચની પણ ચોરી થયાના રિપોર્ટ પણ સમયાંતરે નોંધાતા રહ્યા છે. અઈ કોચમાં મુસાફરી કરનારા યાત્રાઓ માટે સારી સુવિધા આપવાની કોશિશ કરતા રેલવે માટે આ ચોરી નવી સમસ્યા પેદા કરી રહી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.