Abtak Media Google News

વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ ફીઝહોલીનેશ ડો. સૈયદ ના અબુ જાફરુસ્સાદીક આલીકદર મુફદુલ સૈફુદ્દીન સાહેબ તાજેેતરમાં યુગાન્ડા દેશમાં બીરાજમાન છે.

રાજય હાઉસ એન્ટેબ્બેમાં યુગાન્ડા દેશના રાષ્ટ્રપતિ યોવેરી મ્યુસોવેની એ ડો. સૈયદના સાહેબને આવકારી ને સન્માનીત કર્યા હતા. અને ગોમ્બે હોસ્પિટલમાં નવીનીકરણ માટે તેમના ઇરાદા માટે આભારા માન્યો હતો.

ડો. સૈયદના સાહેબએ રાષ્ટ્રપતિને શાલ ઓઢાડીને સન્માનીત કર્યુ હતું. આ પ્રસંગે શહેજાદા કુસૈયભાઇસાહેબ, શહેજાદા જાફરુસ્સાદીકભાઇ, શહેજાદા તાહાભાઇ, શહેજાદ હુશેનભાઇ, જનાબ મહેલમભાઇ જનાબ કુસૈયભાઇ તેમજ દાઉદ વ્હોરા સમાજના વેપારી પ્રતિનિધિ મંડળના ભાઇઓએ રાષ્ટ્રપતિ ની મુલાકાત લીધી હતી.

ડો.સૈયદના સાહેબ ટુંક સમયમાં રાજકોટ પધારશે જેની તૈયારી તડામાર ચાલી રહી છે તેમ શેખ યુસુફભાઇ જોહર કાર્ડસવાળાની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.